SearchBrowseAboutContactDonate
Page Preview
Page 123
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીમદની જીવનિિસદ્ધ શ્રીમદ્ આ વાત કઈ રીતે જાણી તે વિશે ધારસીભાઈએ તેમને પૂછ્યું. તેના ઉત્તરમાં શ્રીમદ્દે જણાવ્યું કે, “હું તમારી સાથે આવ્યા છું, એ વાત જાણ્યા પછી બંને મામાએએ આ વાત ઉપાડી હતી. અને તેએ એટલે માટેથી વાત કરતા હતા કે બહાર થતી વાત અંદર જમતી વખતે મને સંભળાતી હતી.” ધારસીભાઈએ વિશેષમાં પૂછ્યું કે, “તમારા દેખતાં આવી વાત કેમ કરી ?” તે વિશે શ્રીમદ્રે કહ્યું, “આ નાના ખાળ છે, આને એ બાબતમાં શી સમજ પડવાની છે? એમ જાણી વાત કરતા હતા. તેથી તમને ચેતવવા આવ્યા છે. ,, ૧૦૪ ધારસીભાઈ ને શ્રીમદ્ની ઉપકારદ્ધિ માટે ઘણું માન થયું, માટાને પણ ન સૂઝે તેવા ઉપકાર આ નાના બાળક તરફથી થતો નેઈ તેમને ઘણું આશ્ચય થયું, અને શ્રીમા મેળાપ થયાથી તેઓ પાતાની જાતને ધન્ય માનવા લાગ્યા.૧૫૯ - ૨. કાશીએ ભણવા જવાની શી જરૂર ? આ અરસામાં કચ્છ કાડાયના રહીશ શા. હેમરાજભાઈ અને નલિયાના રહીશ શા, માલસીભાઈ શ્રીમની અદ્દભુત શક્તિની ખ્યાતિ સાંભળીને તેમને મળવા ઉત્સુક બન્યા. તે અનુસાર બંને જણા સાંઢણીસવાર થઈ વાણિયા તેમને મળવા ગયા. ત્યાં તપાસ કરતાં તેમને ખબર મળ્યા કે શ્રીમદ્ તો મેારખી ગયા છે, તેથી તેઓ પણ મારખી આવ્યા. મારખીમાં શ્રીમદ્ના રાજકોટ ગયાના સમાચાર સાંભળી તેઓએ પણ રાજકોટ જવાનુ' નક્કી કર્યું.... કારણ કે આ તેજસ્વી બાળકને કાશીનું ભણતર ભણાવી વધુ તેજસ્વી બનાવવાની તેમને હેાંશ હતી. અહીં રાજકોટમાં શ્રીમને તેમના નિર્મળજ્ઞાનમાં જણાયુ` કે કચ્છના બે ભાઈઓ સાંઢણીસવાર થઈને, લાંખી મુસાફરી કરતા, મને મળવા આવે છે. આથી તેમણે ધારસીભાઈ ને પૂછ્યું કે બે જણા કચ્છથી આવનાર છે. તેમના ઉત્તારા તમારે ત્યાં રાખશે! ?” ધારસીભાઈએ ખુશીથી હા કહી. તેથી નિશ્ચિંત ખની શ્રીમદ્ છના ભાઈ એને આવવાના માર્ગ તરફ સામા ગયા. તેઓ નજીક આવ્યા એટલે શ્રીમદ્રે તેમને નામ દઈ મલાવ્યા, “ કેમ હેમરાજભાઈ ? કેમ માલસીભાઈ ?” તે બનેને વિચાર થયા કે આપણા આવવાના સમાચાર તો આપણે કાઈને આપ્યા નથી, તો આપણને નામથી પણ કેવી રીતે ઓળખી શકે? આથી આશ્ચય પામી તેમણે શ્રીમને પૂછ્યું, “તમે જ રાયચંદભાઈ છે ? તમે કેમ જાણ્યુ કે અમે અત્યારે જ, આ જ માગે આવીએ છીએ ?” તેના ઉત્તરમાં શ્રીમદ્દે કહ્યું કે “ આત્માની અનંત શક્તિ છે, તે વડે અમે જાણીએ છીએ.” તે પછી તેઓ બધા ધારસીભાઈને ઉતા૨ે ગયા. ત્યાં ધારસીભાઈએ નહાવાની, ખાવાની વગેરે તજવીજ કરી. કચ્છના ભાઈ એની ઈચ્છા તેા શ્રીમને કાશી ભણાવવા લઈ જવાની હતી, પણ તેમની શક્તિના પરિચય થતાં એ વિચાર આવ્યા કે, “આવી દિવ્યશક્તિવાળી વ્યક્તિને કશું' ભણવાનુ બાકી હશે ખરુ?” ૫૯. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004816
Book TitleShrimadni Jivan Siddhi
Original Sutra AuthorN/A
AuthorSaryuben R Mehta
PublisherShreyas Pracharak Sabha
Publication Year1987
Total Pages704
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy