SearchBrowseAboutContactDonate
Page Preview
Page 122
Loading...
Download File
Download File
Page Text
________________ ૧. જીવનરેખા ૧૦૩ તેમની જાતજાતની શક્તિએ પ્રતિ ઘણા લેાકેા આકર્ષાયા હતા. કેટલાકને તેા તેમની શક્તિઓના લાભ લેવાની પણ ઇચ્છા રહેતી, અને તેવાએ કાઈક વાર પ્રસાદી પણ પામતા. આમ બીજાના સ્મરણમાં રહી જાય કે ખીજાને તેમની ચમત્કારિક શક્તિઓના ખ્યાલ આપે એવા પ્રસંગે નાની વયંથી જ શ્રીમના જીવનમાં જોવા મળે છે. આ બધા પ્રસંગેામાં તેમની શક્તિએ ઉપરાંત તેમની ઉપકારબુદ્ધિ, ઉદારતા, વૈરાગ્ય, માણસને પારખવાની શક્તિ, ખીજાના મનાભાવ સમજી તેમને શાંતિ આપવાની કરુણા વગેરે ગુણેાનું પણ આપણને દર્શન થાય છે. તેમનામાં રહેલી નમ્રતાને કારણે લેાકેા એમના તરફ વિશેષ આકર્ષણ અનુભવતા, અને તે શ્રીમદ્ તરફથી થતે! ઉપકાર સહ વધાવી લેતા. શ્રીમના જીવનમાંથી મળી આવતા આવા ભિન્ન ભિન્ન પ્રસંગેામાંના કેટલાક અહી રજૂ કર્યા છે, જે એમની જીવનકળા ઉપર વિશેષ પ્રકાશ પાડે એવા તેમ જ એમના જીવનને સમજવામાં પણ વિશેષ સહાયક નીવડે એવા છે. ૧. ન્યાયાધીશને ચેતવ્યા શ્રીમદ્ જ્યારે નાની વયના હતા ત્યારે એક વખત તેઓ પેાતાને મેાસાળ રાજકાટ જવાની ઇચ્છાથી વવાણિયાથી મેારખી આવ્યા હતા. મારખીમાં સારા સંગાથ વિશે તપાસ કરતાં તેમના વડીલને ખબર મળ્યા કે મેરખીના ન્યાયાધીશ રા. ધારસીભાઈ રાજકેટ જવાના છે. તેથી તેમણે ધારસીભાઈ ને રાયચંદભાઈ ને – શ્રીમદ્ન – રાજકેટ સાથે લઈ જવા વિનતી કરી, જે તેમણે માન્ય રાખી. રાયચંદભાઈ તેમની સાથે જવા નીકળ્યા. મામાં શ્રીમદ્ સાથે વાતચીતના પ્રસંગ પડતાં ધારસીભાઈ ને તેમની ચપળતા તથા હૈાશિયારીનેા ખ્યાલ આવ્યા. તેમના ગુણેાથી આકર્ષાઈ ને ધારસીભાઈ એ શ્રીમને રાજકોટમાં પેાતાની સાથે રહેવા જણાવ્યું. શ્રીમદ્ મેાસાળમાં જ રહેવાની ઇચ્છા વ્યક્ત કરી, પણ ધારસીભાઈ ના ઘણા આગ્રહ, જાણી તેમને અવારનવાર મળવાનું વચન આપી શ્રીમદ્ પેાતાને માસાળ ગયા. મેાસાળમાં મામાએ તેમને પૂછ્યું કે, “તમે કેાની સાથે આવ્યા ? ” શ્રીમદ્રે ધારસીભાઇ સાથે આવ્યાનુ જણાવ્યું, તે પછી બંને મામાએ ધારસીભાઈના ઘડાલાડવા કરવાના પ્રપંચ માંહેામાંહે ગાઠવવા લાગ્યા. તે વાત શ્રીમદ્દે જમતાં જમતાં સાંભળી, તેથી વિચાર્યું કે મારા મામા ધારસીભાઈને મારી નાખવા માગે છે, પણ તેમના ઉપર ઉપકાર કરવાના આ પ્રસંગ જવા ન દેતાં, મારે ધારસીભાઈને ચેતવવા જોઈ એ, તે વિચારથી જમીને તેઓ ધારસીભાઈ ને ઘેર ગયા. * ત્યાં જઈ શ્રીમદ્ ધારસીભાઈને પૂછ્યું, ધારસીભાઈ, તમારે મારા મામાએ સાથે કઈ સંબંધ છે ?” તેમણે જવાબ આપ્યા કે, “ સગપણુ-સંબંધ નથી, પણ રાજ-સ બધ ખટપટ ચાલે છે.” એ સાંભળી શ્રીમદ્દે કહ્યું, એમ છે, તે તમારે સાવચેત રહેવું, કેમ કે તેએ તમારે માટે લાગ ફાવે તે ઠેકાણે કરી દેવાની વાત કરતા હતા, માટે તે વિશે પ્રમાદી ન થવુ....” “ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004816
Book TitleShrimadni Jivan Siddhi
Original Sutra AuthorN/A
AuthorSaryuben R Mehta
PublisherShreyas Pracharak Sabha
Publication Year1987
Total Pages704
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy