SearchBrowseAboutContactDonate
Page Preview
Page 336
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨૧ ધન્ય છે એ અનાથી મુનિને કે જેઓ આત્મજ્ઞાન પામી. બીજે જ દિવસે સંયમના માર્ગે ચાલી ગયા. ધન્ય છે એવા અનંતા આત્માઓને કે જેમણે ચાર શરણ સ્વીકારી લઈને જનમ જનમના ફેરા ટાળી નાખ્યા. અન્તર્યામી દેવ! મને આજે આપનું શરણ પ્રાપ્ત થયું છે એ મારા માટે તે અસીમ આનંદની બાબત છે. જેની વાસનાઓના મૃત્યુ થયા છે તેને મૃત્યુને કશેય ડર નથી કાયાના મૃત્યુ પહેલાં જે શરણ્યને શરણાગત બનીને વાસનાઓની મેત લાવી દે છે અને વળી મૃત્યુના ભય શા ? અરે વાસનાના મૃત્યુ સિવાય મૃત્યુ જ ક્યાં છે ! જન્માંતર, પ્રાપ્ત કર, કાયાપલટ કરવી એ તે ફાટેલા કપડાને મૂકીને નવું કપડું પહેરવાની એક ક્રિયા માત્ર છે. કાયિક મૃત્યુના તે ડર હોતા હશે ? નિર્ભયને તે વળી મત હતા. હશે? વાસનાઓનું શમન કરી દેનારને ભય શે! ૧૩ મારી વાસનાના ખપ્પરે ભરવામાં મેં અનેક ને દુભવ્યા છે, પડયા છે. તેમને ત્રાસ આપે છે, અરે નાના કીડા જેવા જંતુઓને કે પૃથ્વી પાણે આદિના જંતુઓને તે ખતમ કર્યા છે. આ બધાય અપરાધને હું નમાવું છું, હું એમને ગુન્હેગાર છું આ તકે તેમની બધાયની માફી માંગુ છું. કયાંય પણ મારી ભૂલ ન હોય તે પણ હું તેમને ક્ષમા આપવા વિનવું છું. મારે હવે સર્વ જી સાથે મૈત્રી છે. નાથ ! આપની શરણાગતિ સ્વીકારવાથી બધુય કામ સીધુ ઉતરી જાય છે. હવે આ વિશ્વમાં મારું કઈ નથી. હું ૨૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004815
Book TitleJain Stuti
Original Sutra AuthorN/A
AuthorBhanubhai K Bhansali
PublisherBhanubhai K Bhansali
Publication Year1991
Total Pages352
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy