SearchBrowseAboutContactDonate
Page Preview
Page 316
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦૧ ૧૩ જેમ વાણી કષ્ટ વેઠી વેપાર માટે માલ ભેગો કરે છે. અને તેને તે એવી રીતે સાચવે છે કે બગડે નહી. પરંતુ જ્યારે તેજીને રંગ આવે ત્યારે માલનું મમત્વ છેડી દે છે. અને વેચીને લાભ મેળવે છે. તેમ અનેક કષ્ટો સહન કરી તપ, સંયમ અને ધર્મરૂપ માલનો સંગ્રહ કર્યો છે અને આત્માને દેથી બચાવ્યું છે. તે માલને બદલે મોક્ષરૂપ લાભ પ્રાપ્ત કરવા માટે મૃત્યુરૂપ તેજીનો ભાવ આવ્યું છે પછી તેને લાભ મેળવતાં દુઃખ કેમ હોઈ શકે? તે હવે શરીરનું મમત્વ છેડીશું તે જ પૂરે લાભ મળશે. ૧૪ દિવસભર કરેલી મજુરીનું ફળ શેઠ આપે છે. તેમ જીંદગી પર્યત કરેલી કરણનું ફળ મૃત્યુ રૂપ શેકથી જ મળશે, માટે તેને આદર કરે જોઈએ, ૧૫ જેમ કે ઈ રાજાને પરચક્રી રાજાએ પકડી કેદમાં પૂર્યો હોય અને તેને કોઈ મિત્ર-રાજા સેના સહિત આવીને તે રાજાને છોડાવે તેમ ચૈતન્યરૂપ રાજાને કર્મરૂપ પરચક્રીએ સંસારરૂપ કારાગૃહમાં એટલે આયુષ્ય રૂપી જેલમાં પૂર્યો છે, ત્યારે મૃત્યુ રૂપ મિત્ર રેગ રૂપ સેનાથી સજજ થઈ મને દુઃખથી મુક્ત કરવા માટે આજે છે. તેથી તેને ઉપકારક માની સમભાવપૂર્વક સમાધિથી તેને આદર કરે. ૧૬ ભૂતકાળમાં સ્વર્ગ–મેલનાં મુખ જેમણે પ્રાપ્ત કર્યા છે તે સમાધિ મરણના જ પ્રતાપે, માટે હે સુખાથી આત્મા! તારે પણ સમાધિ મરણ પૂર્વક મરવું ઉચિત છે. ૧૭ કલ્પવૃક્ષની છાયામાં બેસીને મનુષ્ય સારી કે બૂરી જેવી ઈચ્છા કરે તેવાં ફળ મેળવે છે તેવી જ રીતે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004815
Book TitleJain Stuti
Original Sutra AuthorN/A
AuthorBhanubhai K Bhansali
PublisherBhanubhai K Bhansali
Publication Year1991
Total Pages352
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy