SearchBrowseAboutContactDonate
Page Preview
Page 177
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૨ તપનું સેવન કરતાં કર્મની નિર્જરા સિવાય શુભાશુભ ભાવને અનાદર કે વિકલ્પ તેમજ રાગને અવકાશ ન થવું જોઈએ. છતાં આત્મવીર્યની નબળાઈથી રાગાદિસંકલ્પ વિકલપ કર્યા હોય તે તસ્સ મિચ્છામિ દુક્કડ. આહારની વૃત્તિ આવે ને ઈન્દ્રિયોનું દમન હોય છે, તેનું મૂળ કારણ ઈચ્છા નિરોધ-સમ્યક તપ છે. કામ કે ધાદિ દોષનું ઓપરેશન કરનાર કુશળ સજન ધર્મ છે. અને એ જ હેતુએ દેહાદિનું પ્રવર્તાવું હોય છે. એ હેતુ સાચવવા જતાં સચવાયે ન હોય અને પાપ લાગ્યું હોય તે અરિહંત સિદ્ધ ભગવંતની સાક્ષીએ મિચ્છામિ દુકકડ... જ્યાં સુધી અણહારક પદ પ્રગટયું નથી ત્યાં સુધી અલ્પરાગ હોય છે. સાધુ-સાધ્વીઓને આહાર લેવાની વૃત્તિ છે, પણ તેમાં મૂચ્છોલેલુપતા કે વૃત્તિનું લુપપણું કે ધણીપણું કે સ્વામીપણું નથી હોતું, શરીરના રાગાથે નહિ, પણ સંયમના નિર્વાહ માટે આહાર છે. અણહારક પદ પૂર્ણ ક્યારે થાય, તે લક્ષ હોય છે. તે સ્વરૂપ જાગૃતદશા, નબળાઈના કારણે આ જાગૃત દશા ન રહી હોય તે તસ્સ મિચ્છામિ દુકકડે. આત્માનું મૂળસ્વરૂપ અણહારક પદ પવિત્ર અને શુદ્ધ છે. માટે અણુહારક સ્વરૂપના ભાવમાં રહીને તપના સેવનદ્વારા, મોક્ષમાર્ગમાં અણાહારક દશા વધારું અને ઈચ્છા તથા રાગ દ્વેષને નાશ થતે દેખું, મારા સ્વરૂપને વિકાશ પખું, એ જ તપના સ્વરૂપનું ફળ છે. એ ફળ પ્રાપ્ત થતાં જે કાંઈ મન, વચન, કાયાથી, તીવ્ર કષાય ભાવથી વિરાધના થઈ હોય તે અ. સિ. મ. ની સાક્ષીએ તસ્સ મિચ્છામિ દુકકડ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004815
Book TitleJain Stuti
Original Sutra AuthorN/A
AuthorBhanubhai K Bhansali
PublisherBhanubhai K Bhansali
Publication Year1991
Total Pages352
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Worship
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy