SearchBrowseAboutContactDonate
Page Preview
Page 492
Loading...
Download File
Download File
Page Text
________________ લધુવૃત્તિ-અeટમ અધયાય-ચતુર્થ પાદ [૪૧ એક નાયક પોતાની પ્રિયાને કહે છે કે–જિંદગી ચંચળ-અસ્થિર છે અને મરણ નિશ્ચિત છે માટે હે પ્રિયે ! શા માટે રીસાય છે? રીસામણના-રૂસણવાળાદિવસે સેંકડો દિવ્ય વરસ જેટલા ઘણા લાંબા થઈ જશે અર્થાત એ દિવસે એટલા બધા લાંબા થઈ જશે કે કેમ કરીને ખૂટશે નહીં. દિવ્ય વરસ એટલ કરૉડા મહિના અથવા બ્રહ્માનું વરસ મેં ધનિ ! ઈ વિલાસ 1 જુઓ. ટાદારૂ ૮. મા ધ ! વિવરમ | આ સૂત્ર મા ને બલે ને પ્રયોગ વાપરવાની હકીક્ત કહે છે પણ આ સૂત્રનું વિધાન બાહુલિક હેવાથી કોઈ સ્થળે માને તથા મને પ્રયોગ પણ થાય છે, જેમકે – માमाणि पणटुइ जइ न तणु तो देसडा चइज्ज । मा दुज्जण--कर-पल्लवहिं दसिज्जतु भमिज्ज ।। माने प्रणष्टके यदि न तनुम् तत: देशम् त्यजेत् । मा दुर्जनकरपल्लवैः दर्यमानः भ्रमेत् ॥ પોતાનું તેજ અથવા માન નાશ પામતાં શરીરને છોડી દેવું જોઈએ અર્થાત મૃત્યુને જ સ્વીકાર કરી લેવો જોઈએ, પણ જે શારીરને ન છેડી શકે તે દેશને તો છેડી જ દેજે પણ નઠારા માણસેના હાથની આંગળીઓના ટેરવા વડે દેખાડાતો ન ભમજે. અર્થાત કોઈ તારી સામે આંગળી ચીધે અને એમ કહે કે આ પેલો બિચારો રખડે છે એમ સાંભળવું પડે એમ ન કરજે. लोणु विलिज्जइ पाणिएण अरि ! खल ! मेह ! म गज्जु । बालिउ गलिउ मु झुपडा गोरि तिम्मइ अज्जु ॥ लवणं विलीयते पानीयेन अरे! खल ! मेघ ! मा गर्ज। ज्वालितं गलितं तत् कुटीर गौरी तिम्यति अद्य ।। અરે ! ખલ મેધ! તું ગર્જના ન કર. પાણી પડતાં લાવણ્ય-સૌંદર્ય-વિલા જાય છે અથવા મીઠું ઓગળી જાય છે, વારિ – બળેલ કે બળી ગયેલ તે ઝુંપડું આજે ચુએ છે તથા ગોરી ભીંજાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004814
Book TitleSiddhahemshabdanushasana Part 3
Original Sutra AuthorN/A
AuthorBechardas Doshi
PublisherUniversity Granth Nirman Board
Publication Year1978
Total Pages534
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Grammar
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy