SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ સિદ્ધહેમચંદ્ર શબ્દાનુશાસન આદેશ કરીને સમજાવેલું હોય અથવા શબ્દમાં રહેવા સ્વરોને તથા વ્યંજનોને પરિવર્તિત કરીને સમજાવેલું હોય તેનું નામ પ્રાકૃત. હવે સંસ્કૃત પછી પ્રાતની વાત શરૂ કરવામાં આવે છે. સંસ્કૃતના શબ્દો અને પ્રાકૃતના શબ્દ વચ્ચે જે પ્રાકૃતનું સામ્ય છે તેવા પ્રાકૃતનું આ વ્યાકરણ છે, પણું જે પ્રાકૃત શબ્દોનું સામ્ય સંસ્કૃત શબ્દો સાથે નથી તેવા પ્રાકૃતનું એટલે દેશ્ય પ્રાકૃતિનું આ વ્યાકરણ નથી, એ હકીકત બતાવવા માટે જ સંસ્કૃત વ્યાકરણની રચના પછી તરત જ પ્રાકૃતના વ્યાકરણની રચના કરવામાં આવી છે. સંસ્કૃતના સિદ્ધ શબ્દ ઉપરથી પ્રાકૃત શબ્દ બનાવવાની એક પદ્ધતિ છે અને બીજી પદ્ધતિ સંસ્કૃતના સાધ્ય શબ્દ ઉપરથી પ્રાકૃતના શબ્દ બનાવવાની છે. જે પ્રાકૃત ભાષાને આ પદ્ધતિ લાગુ પડે છે તે ભાષાનું જ આ વ્યાકરણ છે. પણ જે દેશ્ય પ્રાકૃતિને આ પદ્ધતિ લાગુ પડતી નથી તેનું ખાસ કરીને આ વ્યાકરણ નથી. પૂર્વના પંડિતેએ પ્રાકૃતના ત્રણ ભેદો બતાવેલા છે: (૧) તદ્ભવ (૨) તત્સમ અને (૩) દેશ્ય. આમાં તદ્ભવ અને તત્સમ શબ્દનું સામ્ય સંસ્કૃત ભાષા સાથે વિશેષ છે. દેશ્ય શબ્દોનું સામ્ય ઘણું ઓછું છે. તદ્ભવ અને તત્સમ એ બે ભેદને એક ભેદમાં પણ સમાવી શકાય છે. પ્રાકૃતના અનેક એવા શબ્દો છે જેમનું સામ્ય સંસ્કૃત શબ્દો સાથે અક્ષરશ: છે. - જેમકે–સંસાર, હવ, નર, રા, મેર, પૂરી, ફરજ, સમીર, માયા, રસી, દ્વારા, સર, સી, જિરી, ઘર, વગેરે વગેરે. બીજા કેટલાક પ્રાકૃતના એવા શબ્દો છે જેનું સંસ્કૃત શબ્દો સાથે આંશિક સામ્ય છે, જેમકે– વન-વઘઇ, નયન-નૈયા, વનિતા-વિચા. રો-રીવ, પટ- પર, પાર-પાર, વેનુ વેણુ,ગત-અતલ, તિન - ધિ, સ્ત્રોથ વૃત્ત, વેટ, મુઝિ-મુઠ્ઠી, કૃત્તિ-મદિના, મુo – oણ તુર-ગુજી, પત ટુ-વહિવેચા,પ્રતિમા પરિમા, સત્તતિ-સત્તર. આ બંને પ્રકારના શબ્દોને સંસ્કૃતસમ નામના ભેદમાં સમાવી શકાય છે. એટલે દેજેય પ્રાકૃત અને સમસંસ્કૃત પ્રાકૃત એ બે ભેદથી જ કામ ચાલી શકે એમ છે. જે સંસ્કૃત ભાષાના શબ્દો અને જે પ્રાકૃત ભાષાના શબ્દ એ બે વચ્ચે એકદમ સામ્ય છે–જરા પણ ફરક નથી. એ શબ્દની સાધના માટે આ વ્યાકરણની જરૂર નથી. એવા શબ્દની સાધના સંસ્કૃત ભાષાના શબ્દોની સાધનામાં સમાઈ જાય છે. પણ જે શબ્દોમાં આંશિક સામ્ય છે અને જે શબ્દોને આદેશ દ્વારા સમજાવેલા છે તેમની સાધો માટે આ વ્યાકરણ છે. પ્રાકૃત ભાષામાં મૂળ પ્રકૃતિ, પ્રત્ય, લિંગ, કારક, સમાસ અને સ્વરસંજ્ઞા વગેરે સંજ્ઞાઓ એ બધું સંસ્કૃતના વ્યાકરણમાં જણાવ્યા પ્રમાણે સમજવાનું છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004814
Book TitleSiddhahemshabdanushasana Part 3
Original Sutra AuthorN/A
AuthorBechardas Doshi
PublisherUniversity Granth Nirman Board
Publication Year1978
Total Pages534
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Grammar
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy