SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ ભાવાર્થ : જેમના શરીર પગથી મસ્તક સુધી મોટી સાંકળોથી બાંધેલા હોય અને જેમના સાથળો બેડીના અગ્રભાગથી અત્યંત ઘસાતા હોય એવા મનુષ્યો પણ છે સ્વામી! નિરંતર તમારા નામરૂપ મંત્રનું (ૐ ઋષભાય નમઃ ) સ્મરણ કરવાથી તત્કાળ પોતાની મેળે બંધનથી ભયરહિત થઈ જાય છે. ૪૨ ભક્તામર શ્લોક ૪૩ માદ્વિપેન્દ્ર-મૃગરાજ-દવાનલાહિસંગ્રામ-વારિધિ-મહોદર-બંધનોત્થમ્ । તસ્યાશ નાશમુપયાતિ ભયં ભિષેવ, યસ્તાવકું સ્તવમિમંમતિમાનધીતે ।।૪।। ગાંડા હાથી સિંહ દવ અને સર્વ શુદ્ધ થયેલી, અધ્ધિ કેરી ઉદર દરદે બંધને કે બનેલી; એવી ભીતિ ઝટપટ બહુ તેમની તો હરે છે, જેઓ મારું સ્તવન પ્રભુજી પ્રેમથી રે કરે છે. II ૪૩ || ભાવાર્થ : જે બુદ્ધિમાન મનુષ્ય તમારા સ્તોત્રનો નિરંતર પાઠ કરે છે તેને મદોન્મત્ત હાથી, સિંહ, દાવાનળ, સર્પ, યુદ્ધ, સમુદ્ર, જલોદર અને બંધન એ આઠથી ઉત્પન્ન થયેલો ભય જાણે પોતે જ ભય પામ્યો હોય તેમ શીઘ્ર નાશ પામેછે. ૪૩ ભક્તામર શ્લોક ૪૪ સ્તોત્રસર્જ તવ જિનેન્દ્ર ! ગુણૈર્નિબદ્ધાં, ભક્ત્વા મયા રુચિ૨વર્ણવિચિત્રપુષ્પાન્ । ધત્તે જનો ય ઇહ કંઠગતામજä ; તં માનતુઙ્ગમવા સમુપૈતિ લક્ષ્મીઃ ।।૪૪) જેને ગૂંથી ગુણ ગણ રૂપે વર્ણ ફૂલે રમુજી, એવી માળા વિવિધ વિધિએ આપની હે પ્રભુજી; તેને જેઓ નિશદિન અહા કંઠમાંહે ધરે છે, તેઓ લક્ષ્મી સુખેથી જગમાં માનતુંગી વરે છે. ॥ ૪૪ ॥ ભાવાર્થ : હે જિનેશ્વર! મેં ભક્તિથી કરેલી પૂર્વોક્ત જ્ઞાનાદિ ગુણોથી ગૂંથેલી તથા મનોહર અક્ષરોરૂપી વિચિત્ર પુષ્પોવાળી તમારા સ્તોત્રરૂપી માળાને આ જગતમાં Jain Education International www.jainelibrary.org For Private & Personal Use Only (૨૨)
SR No.004810
Book TitleBhaktamarno Bhakti Marg
Original Sutra AuthorN/A
AuthorManu Doshi
PublisherGyandip Prakashan
Publication Year1998
Total Pages244
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy