________________
પેટ અને શ્વાસની ક્રિયાઓ :
સમ્યક્ શ્વાસની આવશ્યકતા :- પ્રેક્ષાધ્યાનમાં શ્ર્વાસની ક્રિયાનું સમ્યક્ - ઠીક હોવું જરૂરી છે. પ્રેક્ષાની શરૂઆત શ્ર્વાસથી થાય છે. શ્વાસની ક્રિયા બરાબર થવાથી સાધનામાં શીઘ્ર અને વ્યવસ્થિત વિકાસ થાય છે. સામાન્ય રીતે શ્વાસોચ્છ્વાસની ક્રિયાને ઘણાં લોકો ઉંધી જ કરે છે. જે તનાવ ગ્રસ્ત છે તેના શ્વાસોચ્છ્વાસ ઉંધા જ ચાલવા માંડે છે. પેટની દસ ક્રિયાઓમાં જેવી શ્વાસની ક્રિયા બરાબર થાય છે કે તરત પાચનતંત્ર પણ વ્યવસ્થિત થવા માંડે છે. નાનું બાળક સાહજિક રીતે શ્વાસોચ્છ વાસ કરે છે. જ્યારે તે શ્વાસ લે છે ત્યારે તેનું પેટ ફૂલે છે અને શ્વાસ કાઢે છે. ત્યારે પેટ સંકોચાય છે. સમ્યક્ શ્વાસોચ્છ્વાસ માટે શ્વાસ લો ત્યારે તમારું પેટ ફુલવું જોઇએ. શ્વાસ બહાર કાઢો ત્યારે પેટ સંકોચાવું જોઇએ. તેનાથી શ્વાસોચ્છ્વાસ સાહજિક રીતે દીર્ઘ થવા માંડે છે. આ ક્રિયાઓ માટે તનાવરહિત થઇ ઊભા રહો. ચિત્તને ક્રિયામાં સંલગ્ન કરો. શ્વાસ-પ્રશ્વાસની સાથે પેટનું સંચાલન થશે. શ્વાસ અંદર આવી જશે ત્યારે પેટ ફૂલશે. શ્વાસ બહાર નીકળશે ત્યારે પેટ સંકોચાશે. પેટની ક્રિયાઓમાં શ્વાસ-પ્રશ્વાસની સ્થિતિ સમ્યક્ રહેશે.
us
Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org