________________
જેવી રીતે પહેલાં બતાવવામાં આવ્યું છે - લેશ્યા-ધ્યાનનો પ્રયોગ ટોચ પર ચઢવા જેવો છે. કોઇ કોઇ વ્યક્તિને તેમાં તરત જ સફળતા મળે છે, પણ કોઇકોઇને થોડો સમય લાગે છે. આવી પરિસ્થિતિમાં સાધકે નિરાશ ન થવું જોઇએ કે ન તો પોતાની ધીરજ ખોવી જોઇએ. દઢ સંક્લ્પની સાથે પ્રયત્નો ચાલુ રાખવા જોઇએ. પ્રત્યેક સાધકમાં અનંત શક્તિ છુપાયેલી છે, પરંતુ તે પોતાની શક્તિથી પરિચિત નથી. આપણને અપેક્ષા છે પોતાની શક્તિને જાણવાની, તેનાથી પરિચિત થવાની અને તેમાં આસ્થા રાખવાની. કોઇ કોઇ વખત જે રંગને જોવાની ઇચ્છા રાખીએ છીએ, તેના સ્થાને કોઇ બીજા જ રંગનો અનુભવ થવા માંડે છે. પરંતુ તેનાથી પણ નિરાશ થવાની જરૂર નથી. ઉલટું આ રીતે કોઇપણ રંગનું દેખાવું એ વાતનું પ્રમાણ છે કે ધ્યાન સધાઇ રહ્યું છે. બીજા રંગોનું દેખાવું પણ સંકલ્પ-શક્તિ અને વર્ણ-શક્તિનું પરિણામ છે. જો કે આ કોઇ બહુ મોટી પ્રાપ્તિ નથી, પરંતુ છતાં પણ તેનું પોતાનું મહત્ત્વ છે. કારણકે એનાથી સાધકની શ્રધ્ધા અને આસ્થાને બળ મળે છે. જયાં સુધી કોઇ અનુભવ નથી થતો ત્યાં સુધી એવું લાગે છે કે સાધના સફળ થઇ રહી નથી. અનુભવ ભલે નાનો હોય કે મોટો પણ તે ખૂબ કામનો છે.
સ્વત:સૂચન (Auto Suggestion) અને ભાવના
લેશ્યા-ધ્યાનની વિધિમાં એક ખૂબ મહત્ત્વની વાત છે - વિભિન્ન રંગોમાં થનાર વિભિન્ન પરિણામો અને પરિવર્તનનો અનુભવ કરવો. ધ્યાનના પરિણામોને પ્રભાવક બનાવવા માટે એક મહત્ત્વપૂર્ણ પ્રયોગ છે - સ્વયં સૂચન કે ઓટો સજેશન.પાશ્ચાત્ય દેશોમાં એક ચિકિત્સા પ્રણાલીનો વિકાસ થઇ રહ્યો છે, જેને “ઓટોજેનિક” ચિકિત્સા પદ્ધતિ કહે છે. આ પદ્ધતિમાં સ્વત: પ્રભાવ પાડવાની વાત છે. વ્યક્તિ લ્પના કરે છે અને કલ્પનાને સહારે એવો અનુભવ કરે છે. આ પ્રણાલીને યોગની ભાષામાં ભાવનાત્મક પ્રયોગ કહી શકાય. ભાવનાના પ્રયોગમાં વ્યક્તિ સ્વત:-સૂચન દ્વારા પોતાની ચેતનાને અને વાતાવરણને બદલે છે. પોતે પોતાની જાતને પરિવર્તિત કરી શકે છે. ઉદાહરણરૂપે જયારે જયોતિકેન્દ્ર ઉપર પૂર્ણિમાના ચંદ્રના જેવા શ્વેત રંગનું ધ્યાન કરીએ છીએ, ત્યારે પ્રથમ ક્લ્પના કરીએ કે “ક્રોધ શાંત થઇ રહ્યો છે, ઉત્તેજના શાંત થઇ રહી છે, આવેગ અને આવેશ શાંત થઇ રહ્યા છે” અને અંતરનો અનુભવ કરીએ કે પરમ શાંતિ વ્યાપ્ત થઇ રહી છે.
38
Jain Education International For Private & Personal Use Only
www.jainelibrary.org