________________
સફેદ રંગ પ્રશસ્ત છે. ધ્યાનમાં જે રંગોને આપણે જોવા છે, તે પ્રકાશના એટલે કે ચમકતા હોવા જોઇએ, અંધકારના કે અંધ નહીં. વેશ્યા-ધ્યાનમાં સામાન્ય રીતે આપણે નીચે પ્રમાણેના પાંચ રંગોનો ધ્યાનમાં પ્રયોગ કરીએ છીએ. (૧) લીલો રંગ - પાંદડા જેવો.
(૨) વાદળી રંગ - મોરની ગર્દન જેવો. (૩) લાલ કે અરૂણ રંગ - બાળસૂર્ય જેવો. (૪) પીળો 'રંગ - સૂર્યમુખીના ફૂલ જેવો.
(૫) શ્વેત રંગ - પૂર્ણિમાના ચંદ્ર જેવો.
પ્રત્યેક રંગનો ધ્યાનમાં સાક્ષાત્કાર કરવા માટે સંક્લ્પ શક્તિનો પ્રયોગ કરે. સંક્લ્પ-શક્તિનો અર્થ છે ક્લ્પના કરવી.એટલૅ કે માનસિક ચક્ષુથી એને સ્પષ્ટ સ્વરૂપે જોવા. આ પદ્ધતિનો મૂળ આધાર છે ક્લ્પના. ક્લ્પના જેટલો વધારે સમય ત્યાં ટકશે અને જેટલી સઘન બનશે તેટલી જ સફળતા પ્રાપ્ત થશે. પછી તે કલ્પનાને ભાવનાનું સ્વરૂપ આપવું, દૃઢ નિશ્ચય કરવો. જયારે આપણી ક્લ્પના જાગી ઊઠે અને તે દઢ નિશ્ચયમાં બદલાઇ જાય છે ત્યારે તે સંક્લ્પ શક્તિ બની જાય છે. પહેલાંપહેલાં ક્લ્પનામાં એટલી તાકાત હોતી નથી, પરંતુ ક્લ્પનાને સંક્લ્પ-શક્તિનો પુટ લાગે છે ત્યારે તેની તાકાત વધી જાય છે. જયારે ક્લ્પના સુદઢ બને છે ત્યારે આપણે જે રંગ જોવા માંગીએ છીએ તે સાક્ષાત્ દેખાવા લાગે છે. રંગોની કલ્પનાની સહાય માટે ધ્યાન કરતાં પહેલાં તે રંગને ઉઘાડી આંખે અનિમેષ દૃષ્ટિથી તે જ રંગના કાગળ કે પ્રકાશ દ્વારા કેટલીકવાર સુધી જોઇ લેવાથી, તે રંગ ખૂબ સહેલાઇથી ક્લ્પનામાં આવી જાય છે. તેના માટે વ્યવહારમાં સેલોફીન પેપર (રંગવાળા ચીકણા પારદર્શી કાગળ)નો ઉપયોગ કરવામાં આવે છે. તે રંગનો પ્રકાશ આપણી આંખ સમક્ષ આવે છે પછી તે જ રંગ બંધ આંખોથી પણ સ્પષ્ટ દેખાવા માંડે છે.
રંગનો સાક્ષાત્કાર કરવા માટે ચિત્તની સ્થિરતા કે એકાગ્રતા અનિવાર્ય છે. એકાગ્રતાનો અર્થ છે એક જ કલ્પના પર સ્થિર રહેવું, તેનું જ ચિંતન કર્યા કરવું. જ્યારે એકાગ્રતા સધાય છે, જયારે ચિત્ત સ્થિર રહે છે, ત્યારે તે ક્લ્પનાના રંગોના તરંગોને પોતાના સૂક્ષ્મ શરીર-તેજસૂ શરીરની સહાયથી ઉત્પન્ન કરે છે. ત્યારે કલ્પના સમાપ્ત થઇ જાય છે અને વાસ્તવિક રંગોની ઉત્પત્તિ થઇ જાય છે.
37
Jain Education International For Private & Personal Use Only
www.jainelibrary.org