SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ નીકળશે તે બધું અશુદ્ધ જ હશે. શુદ્ધ વેશ્યા કેવી રીતે હશે? શુદ્ધ અધ્યવસાય કેવી રીતે હશે? કષાયમાંથી ગળાઈને અને રસની સાથે ભળીને જે કંઈ બહાર આવશે તે મલિન, અપવિત્ર, અને અશુદ્ધ જ આવશે. શુદ્ધ હશે કેવી રીતે? ભાવની શુદ્ધિ અધ્યવસાયથી થાય છે અને અધ્યવસાયની શુદ્ધિ કષાયના મન્દીકરણથી થાય છે. કષાયનું મંદીકરણ બે પ્રકારે કરી શકાય છે. એક તો ફક્ત શેય પ્રત્યે જયારે ચૈતન્યના સ્પંદનો જાય છે ત્યારે તેમની સાથે કષાયની મલિનતા ભળતી નથી, તેમનાથી અધ્યવસાયો બનશે તે શુદ્ધ બની રહેશે. તેમનાથી જે લેશ્યા બનશે તે શુદ્ધ બનશે. ફક્ત ય પ્રત્યે ચૈતન્યના સ્પંદનો ત્યારે જાય છે જયારે રાગાત્મક કે દ્વેષાત્મક ભાવ તેમની સાથે જોડતા નથી. આ ઘટિત થાય છે - ફક્ત જ્ઞાતા-દષ્ટ ભાવ દ્વારા, જે પ્રેક્ષા-ધ્યાનનું જ એક રૂપ છે. કષાયના મંદીકરણનો એક બીજો પણ રસ્તો છે - ધ્યાન-સાધના દ્વારા મોહના વિલયના સપંદનોને ઉત્પન્ન કરવાં. જયારે આપણે ધ્યાનનો ઉપયોગ કરીએ છીએ, ત્યારે આપણા સુથમ શરીરની અંદર બે પ્રકારનાં સ્પંદનો સમાંતરપણે ચાલે છે - એક છે મોહનું સ્પંદન અને બીજું છે મોહના વિલયનું અંદન. બંને સ્પંદનો સાથે ચાલે છે અને તે જ ભાવ બને છે. કષાય જેટલો ક્ષીણ થતો જશે, મોહનું સ્પંદન તેટલું જ નિર્વીર્ય બની જશે, શકિતશૂન્ય બની જશે. તે સમાપ્ત તો નહીં થાય, પરંતુ તેની સક્રિયતા ઓછી થતી જશે, તેનો પ્રભાવ ક્ષીણ થઈ જશે. જયારે મોહના વિલયનું સ્પંદન શક્તિશાળી થશે ત્યારે ભાવ મંગલમય અને કલ્યાણકારી થશે. જયારે જયારે મોહના સ્પંદનો શકિતશાળી હોય છે - નીલ અને કાપોત વેશ્યાના સ્પંદનો શકિતશાળી થાય છે, ત્યારે ત્યારે તેજે - લેયા અને પદ્મ - વેશ્યા અને શુક્લ-લેશ્યાના સ્પંદનો તથા ભાવો શકિતશાળી બનતા જશે. આ રીતે જે તરંગો કષાયના વલયને પાર કરી બહાર આવી રહ્યા છે, તેમને તરંગાવસ્થામાં જ તેજસ્ શરીરના સ્તર પર પ્રશસ્ત વેશ્યાના સ્પંદનો ઉત્પન્ન કરીને ઘીમા કરી શકાય છે. આમ વેશ્યા-ધ્યાન દ્વારા પ્રશસ્ત વેશ્યાના સ્પંદનો પેદા કરવાથી અપ્રશસ્ત વેશ્યાના સ્પંદનો જે અંદરથી બહાર આવી રહ્યાં છે, તેમની તીવ્રતા મંદ થઈ જાય છે. કષાય કે અતિસૂક્ષ્મ (કર્મ) શરીરમાં કેવળ સ્પંદનો છે, ફક્ત તરંગો. ત્યાં ભાવ હોતા નથી. ત્યાં ચેતનાના સ્પંદનો પણ હોય છે અને કષાયના સ્પંદનો પણ છે. બંનેમાં સ્પંદનો જ સ્પંદનો છે, તરંગો જ તરંગો છે. ઉદાહરણાર્થ ક્રોધ કષાયનું એક રૂ૫ છે. અતિસૂક્ષ્મ શરીરમાં ક્રોધના ફક્ત તરંગો જ હોય છે. Jain Education International 31 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004807
Book TitlePrekshadhyana Leshya Dhyana
Original Sutra AuthorN/A
AuthorMahapragna Acharya
PublisherAnekant Bharati Prakashan
Publication Year1988
Total Pages68
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy