SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ રસાયણોમાં પરિવર્તન આવે છે. પ્રાચીન ભાષાના પ્રાયશ્ચિતને આજની ભાષામાં મનોવિશ્લેષણ કે આત્મવિશ્લેષણ કહી શકાય પ્રાયશ્ચિતની નિર્મળ ભાવના પુરાણી ગ્રંથીઓને ઉકેલી નાખે છે. વિનય, અહંકાર-શૂન્યતાની પ્રક્રિયા છે. બધા પ્રકારની તપશ્ચર્યામાં રાસાયણિક પરિવર્તન પોતાની મેળે ઘટિત થાય છે. લેસ્થાઓનું રૂપાંતર પરંતુ રાસાયણિક પરિવર્તનનું સૌથી મોટું સૂત્ર છે - “ધ્યાનમાં ચૈતન્ય કેન્દ્રોનાં ધ્યાન અને વેશ્યા-ધ્યાન દ્વારા આંતરિક રસાયણોમાં આશ્ચર્યજનક પરિવર્તન થાય છે અને વેશ્યાઓમાં પરિવર્તન થાય છે. પહેલાં બતાવવામાં આવ્યું જ છે કે દુષ્પવૃત્તિઓ દ્વારા સંચિત થતાં કર્મો કષાય-વલયને પ્રબળ બનાવતા રહે છે. જયારે સંચિત કર્મોનો વિપાક થાય છે - તે ફળ આપવા માટે તૈયાર થાય છે, ત્યારે તે તરંગો અને રસાયણોના રૂપમાં કષાય-વલયમાંથી બહાર આવે છે અને ગ્રંથિ-તંત્રના માધ્યમથી વૃત્તિઓ અને વાસનાઓ પેદા કરે છે. જયારે તરંગો અને રસાયણ તીવ્ર વિપાક લઈને બહાર આવી રહ્યા હોય છે. ત્યારે વેશ્યાધ્યાન (ચૈતન્ય-કેન્દ્રો પર રંગોનું ધ્યાન) દ્વારા એવા તરંગો અને એવા રસાયણોનું નિર્માણ થાય છે કે તે તીવ્ર વિપાકવાળા તરંગો નાશ પામે છે, રસાયણ મંદ પડી જાય છે, તેમનું સામર્થ્ય ક્ષીણ થઈ જાય છે અને તેમનું આક્રમણ નિષ્ફળ બની જાય અંદરથી તીવ્ર વિપાનો જે માવ વહે છે તે માવને ગ્રંથિઓ બહાર લાવે છે. વેશ્યા-ધ્યાનથી ગ્રંથિઓ શુદ્ધ થવા માંડે છે, વેશ્યાઓ શુદ્ધ થવા માંડે છે. જયારે વેશ્યાઓ શુદ્ધ થવા માંડે છે, ત્યારે અધ્યવસાયો શુદ્ધ થવા માંડે છે. જયારે અધ્યવસાયો શુદ્ધ થાય છે, ત્યારે કષાયના તીવ્ર વિપાકો અંદર આવી શકતા નથી. તે મંદ થઈ જાય છે. તેમનું પરિણામ મંદ થઈ જાય છે. મંદ વિપાક તીવ્ર વૃત્તિ, વાસના કે ખરાબ ટેવનું નિર્માણ કરી શકતો નથી. ભાવધારાનું નિર્મલીકરણ લેશ્યાની વ્યાખ્યા કરતી વખતે એ પણ બતાવવામાં આવ્યું હતું કે કેન્દ્રમાં મૂળ આત્મા (ચૈતન્યો છે અને તેની ચારે તરફ અતિ સૂક્ષ્મ શરીર દ્વારા નિર્મિત કષાયનું વલય છે. ચૈતન્ય તો મલિન નથી, તે તો શુદ્ધ છે, તેમ છતાં આ અશુદ્ધિ શા માટે? કારણ સ્પષ્ટ છે. ચૈતન્યની ચારે બાજુ એક વલય છે - કષાયના મહાસાગરનું. એક પ્રશ્ન બીજો ઉદભવે છે કે જો કષાયનો મહાસાગર ચૈતન્યને વિટળાયેલો છે, તો પછી શુદ્ધિનો પ્રશ્ન જ ક્યાં ઊઠે છે? જે કંઈ પણ બહાર 30 For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.004807
Book TitlePrekshadhyana Leshya Dhyana
Original Sutra AuthorN/A
AuthorMahapragna Acharya
PublisherAnekant Bharati Prakashan
Publication Year1988
Total Pages68
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy