________________
: ૩ :
લેશ્યા - ધ્યાન શા માટે? • સત્યની શોધ.
– ચેતનાની સ્વતંત્ર સત્તાનો અનુભવ. – અંતર્દષ્ટિની જાગૃતિ.
– અનુભવની સચ્ચાઈ. • પરિવર્તન અને રૂપાન્તરણ..
– વ્યક્તિત્વનું રૂપાંતરણ, – રાસાયણિક પરિવર્તન. – વેશ્યાનું રૂપાંતરણ.
– ભાવધારાનું નિર્મલીકરણ. • નિસ્તરંગની દિશામાં પ્રસ્થાન. • ચિકિત્સા પધ્ધતિ.
સત્યની શોધ સાધકના મનમાં આ પ્રશ્ન સાહજિક રીતે જ ઉદભવે છે કે ધ્યાન શા માટે ? પ્રશ્ન સ્વાભાવિક છે. આપણે જે પ્રવૃત્તિ અને નિવૃત્તિને બરાબર સમજીએ તો પ્રશ્નનું સમાધાન થઈ શકે છે. જો સહેજ પણ ભ્રાંતિ થાય તો ધ્યાન પ્રત્યે પણ આપણને ભ્રાંતિ થઇ જશે.
પ્રવૃત્તિ છે જીવનનૈયાને બરાબર ચલાવવા માટે, જીવનની યાત્રાને ચલાવવા માટે અને નિવૃત્તિ છે જીવનની સચ્ચાઈ અને સત્યને પ્રાપ્ત કરવા માટે. જે લોકો ફક્ત પ્રવૃત્તિ કરે છે, તેઓ જીવનની યાત્રાને ફક્ત ચલાવી શકે છે, પરંતુ જીવનની સચ્ચાઈને તેઓ પ્રાપ્ત કરી શકતા નથી. પ્રવૃત્તિ આપણી જીવનયાત્રાનું સાધન છે, સાધ્ય નથી. પરંતુ જો જીવનમાં પ્રવૃત્તિ અને નિવૃત્તિનું સમ્યગૂ સંતુલન નથી થતું, તો વ્યક્તિ પ્રવૃત્તિને જ સાધ્ય માનવા લાગે છે. મોટી ભ્રાંતિ આવી જાય છે. આ ભ્રાંતિને દૂર કરવા માટે અને સચ્ચાઈને પ્રાપ્ત કરવા માટે વ્યકિત ધ્યાનનો અભ્યાસ કરે તે આવશ્યક છે.
26
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org