SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ આ વાત તો બધા જ ચિકિત્સકો અને સંશોધકો સ્વીકારે કે વિધુત્ ચુંબકીય તરંગ-ક્રમનો અમુક ભાગ જેવો કે “એક્સ” કિરણો, સૂક્ષ્મ તરંગો તેમ જ પારજાંબલી કિરણો, વ્યક્તિના સ્વાસ્થ્ય પર ઉલ્લેખનીય પ્રભાવ પાડે છે. પરંતુ સંપૂર્ણ દશ્ય પ્રકાશના પ્રભાવના વિષયમાં તેઓમાં મતભેદ છે. છતાં પણ અનેક પ્રયોગો દ્વારા એવા સ્પષ્ટ પ્રમાણો પ્રાપ્ત થયાં છે કે પ્રકાશ આપણા અંત:સ્રાવી ગ્રંથિતંત્ર તેમજ નાડીતંત્રને નિશ્ચિત રૂપે પ્રભાવિત કરે છે. નાડી-ગ્રંથિ-તંત્ર પર રંગોનો પ્રભાવ અમેરિકન ઇન્સ્ટીટ્યુટ ઓફ બાયો-સોસિઅલ રીસર્ચના 'નિર્દેશક પ્રો. એલેકઝાંડર સોસની માન્યતા છે કે રંગની વિદ્યુત-ચુંબકીય ઊર્જા કોઇ અજ્ઞાત સ્વરૂપે આપણી પિચ્યૂટરી અને પિનિયલ ગ્રંથિઓ તેમ જ મસ્તિષ્કના ઊંડાણમાં વિધમાન હાયપોથેલેમસને પ્રભાવિત કરે છે. વૈજ્ઞાનિકોના મત અનુસાર આપણા શરીરના એ અવયવો અંત:સ્રાવી ગ્રંથિતંત્રનું નિયમન કરે છે, જે સ્વયં શરીરના અનેક મૂળભૂત ક્રિયાકલાપો અને આક્રમણ, ભય વગેરે ભાવનાત્મક પ્રતિક્રિયાઓનું નિયંત્રણ કરે છે. "" હેરોલ્ડ વોલફાર્થ નામના પ્રકાશ-જીવવિજ્ઞાનશાસ્ત્રી (ફોટોબાયોલોજીસ્ટ ) અને “જર્મન એકેદમી ઓફ ક્લર સાયન્સ ના અધ્યક્ષે એક વિધાલયના બાળકો પર કેટલાક પ્રયોગો કર્યા પછી એવો રિપોર્ટ આપ્યો કે બે અંધ બાળકોના લોહીના દબાણ; નાડીની ગતિ અને શ્વાસની ગતિ પર પ્રકાશનો તે જ પ્રભાવ જોવા મળ્યો જે અન્ય સાત સામાન્ય દષ્ટિવાળા બાળકો પર જોવા મળ્યો હતો. બાયો-સોસીઅલ રીસર્ચની એક પત્રિકામાં ઉપર્યુક્ત પ્રયોગનો જે રિપોર્ટ છપાયો છે તેમાં બતાવવામાં આવ્યું છે કે જયારે વિધાલયના ઓરડાની દિવાલોના રંગોને નારંગી અને સફેદ રંગમાંથી બદલીને રોયલ બ્લૂ અને આછા વાદળી કરી નાખવામાં આવ્યા, સામાન્ય બત્તીઓના સ્થાન પર ઇન્દ્રધનુષી બત્તીઓ લગાવી દેવામાં આવી, તો બાળકોનું ઉપરનું લોહીનું દબાણ ૧૨૦ થી ઘટીને ૧૦૦ સુધી આવી ગયું. તેમનો વ્યવહાર પહેલા કરતાં વધુ સારો અને શિસ્તબદ્ધ બન્યો તથા તેમની એકાગ્રતા પણ વધી ગઇ. વધુમાં શ્રી વોલફાર્થ કહે ૧. પ્રેક્ષાધ્યાન પદ્ધતિમાં એન્ડ્રોક્રાઇન ગ્રંથિઓ ચૈતન્ય-કેન્દ્રોનાં સંવાદી સ્થાનો છે. પ્રત્યેક એન્ડોક્રાઇન ગ્રંથિને પોતાનો રંગ છે. રંગના આધારે તેને પ્રભાવિત કરી શકાય છે. 15 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004807
Book TitlePrekshadhyana Leshya Dhyana
Original Sutra AuthorN/A
AuthorMahapragna Acharya
PublisherAnekant Bharati Prakashan
Publication Year1988
Total Pages68
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy