________________
રશિયાને પ્રકાશ-જૈવિકીના ક્ષેત્રમાં અગ્રણી માનવામાં આવે છે. ત્યાંના વૈજ્ઞાનિકોના મતાનુસાર કોલસાની ખાણોના મજૂરોને જો પારજાંબલી કિરણોનું સ્નાન કરાવવામાં આવે તો તેઓ “યામ ફેફસા” (બ્લેક-લંગ્સ) નામના રોગથી બચી શકે છે. શ્રી. ફાવેર બિરેન એક રંગ-વિશેષજ્ઞ છે. તેમણે રંગનાવિષય પર સેંકડો લેખો તેમ જ પુસ્તકો લખ્યાં છે તથા તેમને આ વિષયના અધિકત લેખક માનવામાં આવે છે. શ્રી બિરેનના મતાનુસાર શાળાના ઓરડામાં બત્તીઓની સાથે પારજાંબલી પ્રકાશવાળી બત્તીઓ લગાવવાથી વિધાર્થીઓનો વિકાસ ખૂબ ઝડપથી થાય છે, તેમની કાર્યક્ષમતા અને ગુણાંકોમાં વધારો થાય છે તથા શરદી, તાવ, વગેરે રોગો પણ ઓછા કરી શકાય છે. શાંતિદાયક ગુલાબી રંગ
કેલિફોર્નિયા (અમેરિકા)ના સાન બરમાર્ડિનો કાઉન્ટીના “પ્રોબેશન વિભાગ” (અપરાધ-સુધાર વિભાગોના સ્વાચ્ય સેવાના નિર્દેશક શ્રી પોલ ઈ. બોકુનિની કહે છે - “અમારે ત્યાં બાલ ગુનેગાર કેદીઓ જયારે કોઈ વખત ઉન્મત બનીને હિંસક બની જતાં ત્યારે પહેલાં અમે આતંકઅને યાતના વડે તેમના પર અંકુશ રાખવાનો પ્રયત્ન કરતા હતા, હવે અમે તેમને એવા રૂમમાં રાખીએ છીએ જેની દિવાલો એક વિશેષ ગુલાબી રંગથી રંગેલી હોય છે. અને અમને અનુભવ થયો કે તે ઉધ્ધત બાળકો ચીસો પાડવાનું છોડી શિથિલ અને શાંત થઈને ફક્ત દસ મિનિટમાં જ નિદ્રાધીન થઈ જાય છે. સમગ્ર અમેરિકામાં લગભગ પંદરસો કરતાં પણ વધારે હોસ્પીટલો તેમજ સુધાર-ગૃહોમાં ઓછામાં ઓછો એક ઓરડો તો ગુલાબી રંગની દિવાલોવાળો હોય છે જ. આ ગુલાબી રંગ “શાંતિ દાયક ગુલાબી રંગ”ના નામથી પ્રસિદ્ધ છે. આ મનુષ્યની ભાવના પર થનાર રંગનાં પ્રભાવનું જવલંત ઉદાહરણ છે. રંગોનો મનોદૈહિક રોગો પર પ્રભાવ
વ્યક્તિની બિમારીમાં રંગ કેવી રીતે અને શું પ્રભાવ પાડે છે એ વિષયમાં બધા જ ચિકિત્સકો એકમત નથી. કેટલાક વૈજ્ઞાનિકોના મતાનુસાર રંગોનો પ્રભાવ સીધો શરીર પર ન થતાં મન પર થાય છે. તેમના મતાનુસાર રંગો દ્વારા એવી મનોદશાઓનું નિર્માણ થાય છે જે શરીરને ખૂબ જ સ્વસ્થ કરી દે છે. પરંતુ આપણે એ પણ ન ભૂલવું જોઇએ કે અડધા કરતાં પણ વિશેષ રોગો મનોદૈહિક હોય છે.
14
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org