________________
આધારે થાય છે. વેશ્યાના રંગો વ્યક્તિના ભાવ પર આધારિત હોય છે. જે વ્યક્તિમાં જે ભાવોની પ્રધાનતા હોય છે તેવા જ તેની લેયાના રંગો થઈ જાય છે. લેગ્યામાં જેટલા રંગો હોય છે, તેટલા જ રંગો આભામંડળમાં પ્રતિબિંબિત થઇ જાય છે. સારા ભાવો દીતિમય હોય છે અને ખરાબ ભાવો મલિન. આભામંડળનાં જે ચિત્રો લેવામાં આવે છે, તેમાં જે રંગ પ્રતિબિંબિત થાય છે તેમના આધારે ક્ષણ-ક્ષણમાં બદલાતા ભાવો પણ પકડી શકાય છે. આભામંડળના માધ્યમથી ચેતનાનું પરિવર્તન જાણી શકાય છે, શરીર અને મનના સ્તર પર ઘટિત થનાર ઘટનાઓ પણ જાણી શકાય છે. સ્થૂળ શરીરની ઘટનાઓ પ્રથમ સૂક્ષ્મ શરીરમાં ઘટિત થાય છે. તેમનું પ્રતિબિંબ આભામંડળ પર અંકિત થાય છે. તેનાં અધ્યયનથી ભવિષ્યમાં થનાર ઘટનાઓની જાણ પણ થઈ શકે છે.
આપણું ચિત્ત નાડી-સંસ્થાનમાં ક્રિયાશીલ રહે છે, અને તેનું મુખ્ય કેન્દ્ર છે મસ્તિષ્ક. તે અંતર્જગતમાં સૂક્ષ્મ ચેતનાથી જોડાયેલું છે. ત્યાંથી તેને ગતિશીલતાના આદેશ - નિર્દેશો પ્રાપ્ત થતા રહે છે અને બાહ્ય જગતમાં તે પોતાના પ્રતિબિંબભૂત આભામંડળથી જોડાયેલું હોય છે. જેવું ચિત્ત હોય છે, તેવું જ આભામંડળ હોય છે અને જેવું આભામંડળ હોય છે તેવું જ ચિત્ત હોય છે. ચિતને જોઈને આભામંડળને જાણી શકાય છે અને આભામંડળને જોઈને ચિત્તને જાણી શકાય છે. ચિત્ત નિર્મળ, તો આભામંડળ નિર્મળ હોય છે અને ચિત્ત મલિન, તો આભામંડળ પણ મલિન હોય છે.
આપણી ભાવધારા જેવી હોય છે તેને અનુરૂપ માનસિક ચિંતન તથા શારીરિક મુદ્રાઓ અને ચેષ્ટાઓ તથા અંગ-સંચાલન થાય છે. ક્રોધની મુદ્રામાં રહેનાર વ્યકિતમાં ક્રોધના અવતરણની શક્યતા વધી જાય છે. ક્ષમાની મુદ્રામાં રહેનાર વ્યકિતને માટે ક્ષમાની ચેતનામાં જવું સહજ થઈ જાય છે. યોગીઓનું આભામંડળ
સામાન્ય અને સ્વસ્થ મનુષ્યોનાં આભામંડળોમાં ઉમર, લિંગ કે જાતિની ભિન્નતાનો કોઈ પ્રભાવ જોવામાં આવતો નથી. પરંતુ યોગીઓ - ઉચ્ચ ચારિત્રવાળી વ્યકિતઓનાં આભામંડળો સામાન્ય વ્યક્તિઓથી તદ્દન ભિન્ન-જુદાં જ જોઈ શકાય છે. તેમનામાં દીપ્તિ વધારે હોય છે. આભામંડળને જોઈને વ્યકિતના ચરિત્રને જાણી શકાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org