________________
લયાસિદ્ધાંતની દષ્ટિએ અવિરતિ, શુદ્ધતા, નિર્દયતા, નૃશંસતા, અજિતેન્દ્રિયતા –આ કૃષ્ણ વેશ્યાનાં પરિણામો છે. ઈર્ષ્યા, કદાગ્રહ, અજ્ઞાન, માયા, નિર્લજક્તા, વિષયવાસના, ક્લેશ, રસલોલુપતા –– એ નીલ-લેશ્યાનાં પરિણામો છે. વક્રતા-વક્રઆચરણ, પોતાના દોષોને ઢાંકવાની મનોવૃત્તિ, પરિગ્રહનો ભાવ, મિથ્યા દષ્ટિકોણ, બીજાનાં મર્મને ભેદવાની મનોવૃત્તિ, અપ્રિય વચન – આ કાપોત વેશ્યાનાં પરિણામો છે.
વિજ્ઞાનની દષ્ટિ, યોગશાસ્ત્રીય દષ્ટિ અને લેયાસિદ્ધાંતની દષ્ટિ – આ ત્રણેને આપણે તુલનાત્મક દષ્ટિથી જોઈએ. વેશ્યાના સિદ્ધાંતમાં જે ત્રણ લેશ્યાઓ છે, યોગ શાસ્ત્રની દષ્ટિમાં જે ત્રણ ચક્રો છે અને વિજ્ઞાનની દષ્ટિમાં જે એડ્રીનલ અને ગોનાડ્ઝ ગ્રંથિઓ છે –તે બધાનું વર્ણન સરખા જેવું જ છે. લેશ્યાનો સિદ્ધાંત માને છે કે બધી જ ટેવો ત્રણ વેશ્યામાંથી ઉદભવે છે અને વિજ્ઞાન અનુસાર આ બધી જ ટેવો બે ગ્રંથિઓમાંથી જન્મે છે. આ ત્રણે પ્રતિપાદનોમાં અદૂભૂત સમાનતા છે. એ સત્ય સ્પષ્ટ થઈ ગયું કે બધી જ ખરાબ વૃત્તિઓ પેઢુની નજીકના સ્થાનથી માંડી નાભિ સુધીના સ્થાન સુધી કે હૃદયના સ્થાન સુધીમાં જન્મ લે છે. એટલું જ ક્ષેત્ર છે એમનું. આ સત્યને સમજયા પછી બદલવાની વાત બહુ સરળતાથી સમજાઈ જાય છે. ભાવધારા વેશ્યા અને આભામંડળ
પ્રાણી ન તો શુદ્ધ અર્થમાં આત્મા છે કે ન તો શુદ્ધ અર્થમાં જડ પદાર્થ છે. તે એક સાંયોગિક પદાર્થ છે, ચૈતન્ય અને પદાર્થનો સંયોગ છે. આત્માનું લક્ષણ છે
– ચૈતન્ય પદાર્થનું લક્ષણ છે – વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ. પ્રાણીનું આભામંડળ બે પ્રકારની ઊર્જાઓનાં સંયુક્ત વિકિરણથી બને છે –એક ચૈતન્ય દ્વારા પ્રાણ - ઊર્જાઓનું વિકિરણ અને બીજુ ભૌતિક શરીર દ્વારા વિધુત - ચુંબકીય ઊર્જાનું વિતરણ. પ્રાણ-ઊર્જનાં વિકિરણનો આધાર છે - વ્યકિતની ભાવધારા. ભાવ ચૈતસિક છે અને આભામંડળ પૌગલિક છે, છતાં પણ ભાવ અને આભામંડળ બંનેનો પરસ્પર પ્રગાઢ સંબંધ છે. આભામંડળ આપણી ભાવધારાનું પ્રતિનિધિત્વ કરે છે. એ દષ્ટિએ ભાવ દ્વારા આભામંડળની અને આભામંડળ દ્વારા ભાવની વ્યાખ્યા કરી શકાય. આભામંડળ કોઈ એક રંગનું નથી હોતું. તેમાં અનેક રંગોનું મિશ્રણ હોય છે, કેમ કે તેનું નિર્માણ લેશ્યાઓના
૧. આભામંડળનું વિસ્તૃત વિવેચન બીજા પ્રકરણમાં કરવામાં આવ્યું છે.
8
,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org