________________
તે કરે છે. હવે, જે વખતે શરીર–પ્રેક્ષા દરમિયાન ચિત્ત કોઈ અવયવ-વિશેષ કે એના ભાગ પર જેવું કેન્દ્રિત થાય છે કે સ્વાયત્ત (અવચેતન) કિયા પર ચિત્તની સંકલ્પ-શક્તિનું નિયંત્રણ થઈ જાય છે. હવે ચિત્ત પિતે જ તેનું સંચાલક બની જાય છે. ઉદાહરણર્થ, શ્વાસ-પ્રેક્ષામાં ચિત્તનું નિયંત્રણ શ્વાસ-નિયમન કેન્દ્ર (જે મગજના આયતાકાર અંતઃસ્થ નામના ભાગમાં–મગજની પાછળના ભાગમાં-સુષણશીર્ષમાં છે) પર થવા લાગે છે. શરીર-પ્રેક્ષામાં ચિત્ત હૃદયની ગતિ પર જેવું કેન્દ્રિત થાય છે કે, પ્રાણદા નાડી (વેગસ નર્વ) જે હૃદયનું નિયંત્રણ કરે છે તેને ચિત્તની જાગરૂકતાથી પ્રભાવિત કરી શકાય છે. પ્રારંભિક અભ્યાસ–દશામાં જે કે અવરોધ કે અનુભૂતિ એટલાં તીવ્ર કે શક્તિશાળી નથી હતાં કે જેનાથી નિયંત્રણ સાધી શકાય, તે પણ ચિત્ત (ધ્યાન)ને શરીરનાં વિભિન્ન અંગ પગે પર કેન્દ્રિત કરવું અત્યંત આવશ્યક છે, જેથી કરીને આપણે ચિત્ત (ચેતન મન)ને આપણી ચેતનાનાં બીજાં તેવા અંગે સાથે જોડી શકીએ કે જે અવચેતન રૂપમાં આપણું શરીરના તાપમાન વગેરેને સામાન્ય રૂપમાં જાળવી રાખે છે અથવા પાચન આદિ ક્રિયાઓનું નિયમન કરે છે. માત્ર આ જ રસ્તે છે ચેતન અને અવચેતન મનની વચ્ચે એક સુમેળ પેદા કરવાને કે જેના દ્વારા તાણ વગેરે દૂર થઈને તેની સ્વસ્થ દશાનું નિર્માણ થાય છે.
વ્યાધિ આપણી શારીરિક બીમારી છે, આધિ આપણી માનસિક બીમારી છે અને ઉપાધિ આપણી ભાવનાત્મક બીમારી છે.
69
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org