________________
સંપાદકીય : (પ્રથમવૃત્તિ) પ્રેક્ષા ધ્યાનનાં વિવિધ પાસાંને સમજાવતી “જીવનવિજ્ઞાન ગ્રંથમાળા' શ્રેણું જિજ્ઞાસુ ગુજરાતી વાયકોમાં કલ્પનાતીત આકર્ષણ જમાવતી જાય છે ત્યારે પ્રેક્ષાધ્યાન: શરીરપ્રેક્ષા’નું તેમાં સગૌરવ ઉમેરણ કરીએ છીએ.
શરીર એ સાધનામાગને અવરોધ નથી, પણ સાધનાનું માધ્યમ છે. સાધનામાં શરીરની ઉપેક્ષા થઈ જ ન શકે. નિરામય શરીર અધ્યાત્મપંથને વિરોધ બનાવે છે. સાધન પ્રત્યે ઉપેક્ષા કરીએ તે. સાથે દુષ્કર બને. જ્ઞાનીઓ કહે છે કે શરીરની માવજતમાં મગ્ન બનીને આત્માને ન ભૂલે, એને અર્થ એ નથી કે શરીરને સદંતર ભૂલી જાઓ! શરીરની સ્વસ્થતા તે દરેક ક્ષેત્રે અભિપ્રેત છે જ. | આપણું વર્તમાન જીવન માનસિક સંધર્ષોથી ઘેરાયેલું અને શારીરિક સમસ્યાઓથી પીડાઈ રહ્યું છે, ત્યારે પૂજ્ય મહાપ્રજ્ઞજીએ શરીરપ્રેક્ષા દ્વારા નિરામયતાનાં અગણિત રહસ્ય ખોલી આપ્યાં છે, જે પ્રત્યેક વ્યક્તિને અંગત રીતે લાભપ્રદ નીવડશે જ.
પૂ. મહાપ્રજ્ઞજીનાં આવાં મૂલ્યવાન પુસ્તકો ગુજરાતી વાચકો સમક્ષ સુલભ કરી આપવાની સનિષ્ઠ દાખવવા માટે શ્રી શુભકરણ સુરાણા અભિનંદન પાત્ર છે. પ્રસ્તુત પુસ્તકને સુંદર અનુવાદ કરી આપવા બદલ શ્રી રમણીકભાઈ મ. શાહનો આભાર માનું છું અને પત્રથી, ફેનથી કે રૂબરૂ અમારા આ પ્રકાશન કાર્યને પ્રોત્સાહનપ્રેરણા આપનાર સહુ સ્વજનો-મિત્રોને આભારી છું. મહાવીર સ્વામી દીક્ષાદિન,
–ોહિત શાહ ૧૬ નવે; ૧૯૮૭.
પુનર્મુદ્રણ પ્રસંગે... જીવનવિજ્ઞાન ગ્રંથમાળા શ્રેણીની તમામ પુસ્તિકાઓ બીજી કે ત્રીજી આવૃત્તિ રૂપે પ્રગટ થઈ રહી છે. ગુજરાતી વાચકેની પ્રેક્ષાધ્યાન પ્રત્યેની આટલી વ્યાપક રૂચિ આનંદ પ્રેરે છે. જન્માષ્ટમી : ૧૯૮૮
– રોહિત શાહ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org