SearchBrowseAboutContactDonate
Page Preview
Page 60
Loading...
Download File
Download File
Page Text
________________ સમસ્યાઓ એટલા માટે ઉભરાય છે કે આપણે બાહ્ય જગતમાં વધુ જીવીએ છીએ, આંતરિક જગતમાં જીવવાને પ્રયાસ નથી કરતા. જ્યાં સુધી અંદરના દરવાજા ઊઘડતા નથી ત્યાં સુધી આપણા ખજાના વિષે જાણતા નથી. અંદરના શબ્દો કેટલા સુખદ છે, અંદરની ગંધ કેટલી મીઠી છે, અંદરનું રૂપ કેટલું મેહક છે, તેને આપણને ત્યાં સુધી અનુભવ નથી થતું, જ્યાં સુધી આપણે અંદરનાં બારી-દરવાજાઓને ખેલી નથી નાખતા. જ્યાં સુધી અંદરના શબ્દ, રૂપ, રસ, ગંધ, સ્પર્શ અને આનંદને અનુભવ નથી થતું ત્યાં સુધી મનુષ્ય ગમે તેટલું ભણે, જ્ઞાન મેળવે કે સાંભળે, તેનું આકર્ષણ બાહ્ય જગતમાં જ રહેશે. આ આકર્ષણને તેડી નથી શકાતું. ધર્મને ગમે તેટલે ઉપદેશ સાંભળવા મળે છે ધર્મના ક્રિયાકાંડેની ગમે તેટલી ઉપાસના કરવામાં આવે, પણ જ્યાં સુધી અંદરની જાગૃતિ થાય નહીં કે અંદરની ઝાંખી થાય નહીં, ત્યાં સુધી આકર્ષણ બહારનું જ રહેશે, અંદરનું નહીં. કાનની વાત કાન સુધી જ પહોંચીને અટકી જશે અને મગજના તંતુઓને ઝણઝણાવીને પૂરી થઈ જશે, પણ અંદર સુધી પહોંચશે નહીં. અંદરનું સામ્રાજ્ય અને ખું છે. તેને પિતાને સિદ્ધાંત છે, નિયમ છે, અનુભવ છે. તેની વ્યાખ્યા અને પરિભાષા સાવ જુદી છે. - શરીરમાં હૃદય ધબકી રહ્યું છે, લેહી ફરી રહ્યું છે, વાયુને સંચાર થઈ રહ્યો છે. શરીરના બધા અવયવે સક્રિય છે. શરીરના સમગ્ર તંત્રમાં સક્રિયતા છે. શરીર-યંત્ર ચાલી રહ્યું છે. જાણે કે કઈ અતિ વિશાળ ફેક્ટરી ચાલી રહી છે. 59 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004805
Book TitlePrekshadhyana Sharir Preksha
Original Sutra AuthorN/A
AuthorMahapragna Acharya
PublisherAnekant Bharati Prakashan
Publication Year1987
Total Pages76
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy