________________
શાખાઓ છે. એમાંની ત્રણ નાડીઓ શક્તિ કેન્દ્ર-જેને મૂળાધાર ચક્ર પણ કહેવામાં આવે છે અને જે કરોડરજજુના નીચેને છેડે આવેલું છે-માંથી પ્રસ્ફટિત થઈને કરોડની લગલગ પ્રવાહિત થાય છે. તેમનાં નામ છે – ઈડા, પિંગળા અને સુષુષ્ણ! ઈડા ડાબી બાજુએ અને પિંગળા જમણી બાજુએ પ્રવાહિત થાય છે. ઈડા ડાબા નસકેરામાંથી પસાર થઈને મગજના જમણું ગોળાર્ધમાં પ્રવેશ કરે છે, જ્યારે પિંગળા નાડી જમણું નસકેરામાંથી પસાર થઈને મગજમાં ડાબા ગોળાર્ધમાં પ્રવેશ કરે છે. ઈડાને ચંદ્રનાડી પણ કહેવાય છે અને તેમાં પ્રવાહિત પ્રાણશક્તિ ત્રણ (નેગેટિવ) અને ઠંડી હોય છે; પિંગળાને સૂર્યનાડી પણ કહે છે અને તેમાં પ્રવાહિત પ્રાણશક્તિ ઘન (પિઝીટીવ) કહેવાય છે. જ્યારે શ્વાસ ડાબા નસકોરામાંથી લેવામાં આવે છે ત્યારે ઠંડક વ્યાપ્ત થાય છે, અને જ્યારે જમણામાંથી લેવામાં આવે છે ત્યારે ગરમીને અનુભવ થાય છે. જયારે શ્વાસ બને નસકોરાંમાંથી લેવાય છે અને સંતુલિત હોય છે ત્યારે પ્રાણને પ્રવાહ સુષુણ્ણામાંથી વહે છે અને માનસિક શાંતિ અને સંતુલનને અનુભવ થાય છે.
ઈડા પરાનુકમ્પી નાડીતંત્રને અને પિંગળા અનુકમ્પી નાડીતંત્રને સક્રિય બનાવે છે. આવી રીતે ઈડા અને પિંગળાને પ્રભાવ એકબીજાથી વિરુદ્ધ દિશામાં હોય છે. નીચેના કઠામાં વાચકને સહેલાઈથી સમજ પડે, એટલા માટે ઉપરોક્ત હકીકતે આપવામાં આવી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org