________________
મિશ્રણ થતાંની સાથે જ જાણવું-જેવું છૂટી જાય છે અને ચિંતન કરવું, વિચારવું, મનન કરવું રહી જાય છે. ચિંતનમનન સત્યની શોધનાં સાધને નથી. સત્યની શોધ માટે અધ્યાત્મની ચેતનાને જાગૃત કરવી પડશે. એ દષ્ટાભાવથી જ શક્ય બને છે. શ્વાસને જે તે ચેતના-જાગરણની દિશાનું પહેલું કદમ છે. સાચી દિશામાં ઉઠાવેલું પ્રથમ કદમ
ધ્યેયની મંજિલ સુધી પહોંચાડનાર આગળનાં કદની શંખલાનું આદિ-બિન્દુ બને છે. શ્વાસને જે તે આત્મસાક્ષાત્કારની મંજિલ સુધી પહોંચવાનું પ્રથમ સે પાન છે.
શ્વાસને જોવાનો અર્થ છે--દર્શનની વાત પર આવી જવું. અહીં વિચારવાનું છૂટી જાય છે, ફક્ત જોવું, જવાનું જ રહી જાય છે. જેવાનું શરૂ કરતાં જ વિચારે અને વિકલ્પ પર પ્રહાર થવાનું શરૂ થઈ જાય છે. વિકથી હટીને અવિકલ્પ અને ચિંતનથી હટીને અચિંતન પર કદમ આગળ વધવા લાગે છે.
શ્વાસ-પેક્ષા દ્વારા આપણે જાણવા અને જોવાની મૂળપ્રવૃત્તિને પ્રારંભ કરીએ છીએ, જ્ઞાતા-ભાવ, દષ્ટા-ભાવને વિકાસ કરીએ છીએ. સામાન્ય રીતે આપણે ઈન્દ્રિયો દ્વારા વિષયને જાણવા અને જોવાની સાથે આપણા પ્રિયતાઅપ્રિયતાના ભાવને પણ જોડી દઈએ છીએ. તેમના પ્રત્યે આપણું ચિત્તમાં રાગ કે દ્વેષના ભાવ ઉત્પન્ન થતા રહે છે. ઉદાહરણાર્થ—આપણે ધ્રાણેન્દ્રિય દ્વારા જ્યારે આપણે કઈ સુગંધ-યુક્ત કે દુર્ગધ-યુક્ત પદાર્થને જાણીએ છીએ કે અનુભવીએ છીએ તે આપણું ચિત્ત તરત જ તેનું વિશ્લેષણ
30
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org