________________
જશે. વાસનું ક્ષેત્ર સીમિત છે, ચિત્તનું ક્ષેત્ર અસીમિત. ચિત્તનું કામ એ નથી કે તે શ્વાસની સીમામાં ગતિ કરતું રહે, વાસની સાથે સાથે રહે, શ્વાસની યાત્રા મૂકી છે, તેના યાત્રાપથ નસકારાંથી ફેફસાં સુધી બહુ જ સ‘કીણ અને ટૂંકા છે, પરંતુ ચિત્તના માર્ગ બહુ જ લાંબા-પહોળા છે, ઘણા જ દીઘ છે. તે એક જ ક્ષણમાં આખી દુનિયાનું ચક્કર કાપી શકે છે. આટલી વિશાળ યાત્રા કરનાર અને આટલી તીવ્ર ગતિથી ચાલવાવાળા ચિત્તને શ્વાસ જેવા નાના યાત્રીની સાથે જોડી રાખવું ખૂખ મુશ્કેલ કામ છે, પરંતુ એ જરૂર કરી શકાય છે. આમ કરવાથી જ ચિત્ત જાગરૂક બની શકે છે. પછી તે કદી જ સૂતું નથી. તે શ્વાસનું સાથી અની જાય છે.
આપણે ચિત્તને તદ્દન જાગરૂક રાખવું છે, વાસ-પ્રેક્ષા તેનુ સબળ માધ્યમ છે. ચિત્તને સાધ્યા પછી તેનું ભટકવાનું અટકી જાય છે, પ્રમાદ નાશ પામે છે, સૂવાની ટેવ છૂટી જાય છે. પછી તા તે પૂર્ણ રૂપે અનુશાસિત અને નિયંત્રિત થઈ જાય છે.
સમભાવ
શ્વાસ વાસ્તવિક છે, એટલા માટે તે સત્ય છે, વ - માનની ઘટના છે. શ્વાસ-પ્રેક્ષા કરવાના હેતુ છે—સત્યને જોવુ, વર્તમાનમાં જીવવાના અભ્યાસ કરવા. શ્વાસ એક ઘટના છે. તે વમાનની ઘટના છે, ભૂતકાળ કે ભવિષ્યકાળની ઘટના નથી. જે ક્ષણમાં આપણે શ્વાસ લઈએ છીએ તે જ ક્ષણે આપણે તેને જોઈ રહ્યા છીએ. આ વમાનની ક્ષણ
28
Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org