________________
જોઈએ, કેમકે ઉદરપટલની માંસપેશી અભ્યાસ ન હોવાની સ્થિતિમાં એકદમ જ ગતિશીલ કે લચીલી નથી બની શકતી. એટલે અભ્યાસ દ્વારા જ આ ક્રિયામાં સફળતા મળી શકે છે. ખાસ કરીને સ્ત્રીઓને માટે તે આ અભ્યાસ છેડે વધારે સમય માંગી લે છે, કારણ કે અધિકાંશ રૂપે સ્ત્રીઓને શ્વાસકિયામાં હાંસડી કે પાંસળીઓની માંસપેશીએનો જ ઉપયોગ કરવાની ટેવ હોય છે. દીર્ઘશ્વાસની સંપૂર્ણ ક્રિયા કરવામાં સંપૂર્ણ જાગરૂકતાની જરૂર છે. આ પ્રકારના અભ્યાસથી દીર્ઘશ્વાસની ક્રિયા એટલી બધી હસ્તગત થાય છે કે તે જ ધીમે ધીમે સાહજિક શ્વાસ બની જાય છે.
Jain Education International
23. For Private & Personal Use Only
www.jainelibrary.org