SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ મળશે, શાંતિ પણ મળશે. પરંતુ આપણે તેને પાર કરીને આગળ પ્રગતિ કરવાની છે. નિર્મળતા આપણું લક્ષ્ય છે. નિર્મળતા આપણું ધ્યેયપ્રતિમા છે. તે સતત આપણી નજર સમક્ષ રહેવી જોઈએ. ધ્યાનને પ્રારંભ કરતાં પહેલાં પૂર્વભાવના કરે. ભાવનાને અર્થ છે “કવચનું નિર્માણ”. આપણે આપણી ચારે તરફ અંડાકાર કવચનું નિર્માણ કરીએ. તેનાથી બહારના પ્રભાવ કવચની અંદર આવશે નહીં. જે કાંઈ આપણે કરવું છે તે નિર્વિદને થયા કરશે. કેઈ પણ આપત્તિ આવશે નહિ. કવચનું નિર્માણ કેવી રીતે કરવું? એ પણ એક પ્રશ્ન છે. સાધક પિતાના નિયત સ્થાન પર બેસે અને અહ, અહં. ને માનસિક જાપ કરે અને સાથે સાથે એ કલપના કરે કે કિરણે ચારે તરફ ફેલાઈ રહ્યાં છે. તે સઘન બની રહ્યાં છે. કવચનું નિર્માણ થઈ રહ્યું છે. થોડા સમય પછી એ અનુભવ થવા લાગશે કે જાણે આખા યે શરીરની બહાર બેત્રણ ફૂટ દૂર સુધી એક કવચ બની ગયું છે. તેમાં સાધક સુરક્ષિત બેઠો છે. આ ભાવના યોગસાધનાનું ખૂબ મેટું આલંબન છે. સાધક તેને ગાઢ અભ્યાસ કરે. ઉપસંપદાના પાંચ સૂત્ર-સંક૯પને સ્વીકાર, ધ્યેયપ્રતિમાનું નિર્માણ અને ભાવનાગ અર્થાત્ કવચ નિર્માણ અને પ્રક્રિયાને ઉપગ આ બધું જ ધ્યાનસાધનાની પ્રાથમિક તૈયારીઓ છે. 60 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004802
Book TitlePrekshadhyana Adhar ane Swaroop
Original Sutra AuthorN/A
AuthorMahapragna Acharya
PublisherAnekant Bharati Prakashan
Publication Year1988
Total Pages64
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy