________________
D ૧૭. ધ્યેય પ્રેક્ષા ધ્યાનની સાધનાનું પ્રથમ ધ્યેય ચિત્તને નિર્મળ બનાવવું તે છે. ચિત્ત કષાયથી મલિન રહે છે. કષાયેથી મલિન ચિત્તમાં જ્ઞાનની ધારા વહી શકતી નથી. આપણું અંદર જ્ઞાન હોવા છતાં પણ તે પ્રગટ થઈ શકતું નથી. કારણ કે વચ્ચે મલિન ચિત્તને પડદો છવાઈ ગયે છે અને તેથી અવરોધ પિદા થાય છે. ચિત્ત નિર્મળ થતાં જ જ્ઞાન પ્રગટ થાય છે. તેને અવરોધ પણ નાશ પામે છે. તે પારદશી બની જાય છે.
જ્યારે ચિત્ત નિર્મળ હોય છે ત્યારે આપણને શાંતિને અનુભવ આપોઆપ થાય છે. મનનું સંતુલન, મનની સમતા અને આનંદ અનુભવ પણ થવા લાગે છે. સાધનાનું પ્રથમ ફળ આનંદની અનુભૂતિ છે. સાધનાને પ્રારંભ તે જેલેક્ષાથી થાય છે. તે જેલેશ્યાનું પ્રથમ લક્ષણ આનંદની અનુભૂતિ છે. જેવી તેજની વિદ્યતધારા આપણું શરીરમાં પ્રવાહિત થાય છે કે તરત જ આનંદનાં કિરણે પ્રગટવા માંડે છે. જેટલો આનંદ છે, જેટલું સુખ છે તે બધું ય વિદ્યુતકૃત છે તે જેલેશ્યા આવે છે ત્યારે સુખને સ્ત્રોત પ્રસ્ફટિત થાય છે. તે જલેશ્યાથી આનંદ, પલેક્ષાથી શાંતિ અને શુકલેશ્યાથી નિર્મળતા-વીતરાગતા પ્રાપ્ત થાય છે.
આપણું દયેય છે–મનની નિર્મળતા. આપણું દયેય આનંદની પ્રાપ્તિ નથી. આનંદ પ્રાપ્ત થશે, પરંતુ તે ધ્યેય નથી. આનંદ આપણું આલંબન બનશે. આપણને આનંદ પણ
59 Jain Education International For Private & Personal Use Only
www.jainelibrary.org