________________
સાથે સાથે ચાલવાં જોઈએ. બંનેની સહયાત્રા થવી જોઈએ.
ભાવક્રિયાને ત્રીજો અર્થ છે–સતત અપ્રમત્ત રહેવું. સાધકે ધ્યેય પ્રત્યે સતત અપ્રમત્ત અને જાગરુક રહેવું જોઈએ. ધ્યાનનું પ્રથમ ધ્યેય છે–ચિત્તની નિર્મળતા. આપણે ચિત્તને નિર્મળ બનાવવું છે. ધ્યાનનું બીજુ ઘય છે– સુષુપ્ત શક્તિઓને જાગૃત કરવી. આપણું ધ્યાન-સાધનાનાં આ બે દયેય છે. તેમના પ્રત્યે સતત જાગરુક રહેવું તે ભાવકિયા છે.
શરીર અને વાણીની પ્રત્યેક કિયા ભાવક્રિયા બની જાય છે. જ્યારે મનની કિયા તેની સાથે થાય છે ત્યારે ચેતના તેમાં વ્યાપ્ત થાય છે. ૨, પ્રતિક્રિયા-નિવૃત્તિઃ
ઉપસ૫દાને બીજો અર્થ છે–ક્રિયા કરવી, પણ પ્રતિકિયા ન કરવી. મનુષ્ય પ્રતિક્રિયાનું જ જીવન જીવે છે. તે બાહા વાતાવરણ અને પરિસ્થિતિથી પ્રભાવિત થઈ કાર્ય કરે છે. તે આવેગ કે ઉત્તેજનાને વશ થઈ કાર્ય કરે છે. આ પ્રતિક્રિયા છે, ક્રિયા નથી. અધ્યાત્મ-સાધનાને અર્થ છે – પ્રતિક્રિયાથી બચવું. સાધક ક્રિયા કરે પણ પ્રતિક્રિયા ન
કરે.
૩. મિત્રો
ઉપસંપદાનું ત્રીજું સૂત્ર એટલે– મૈત્રી.
સાધકને પૂરો વ્યવહાર મૈત્રીથી ઓતપ્રેત હવે જોઈએ. તેનામાં મૈત્રીની ભાવનાને પૂર્ણ વિકાસ થ જોઈએ. આ ત્યારે જ સંભવિત થાય છે જ્યારે વ્યક્તિ પ્રતિક્રિયાથી સર્વથા મુક્ત થઈ જાય છે. નહિ તે ગાળની સામે ગાળ, Jain Education International For Private Personal Use Only www.jainelibrary.org