________________
S ૧૫. એકાગ્રતા –
પ્રેક્ષામાં અપ્રમાદ (જાગરુક ભાવ) આવે છે. જેમ જેમ અપ્રમાદ વધતા જાય છે તેમ તેમ પ્રેક્ષાની સઘનતા વધે છે. આપણી સફળતા એકાગ્રતા પર નિસર છે. અપ્રમાદ કે જાગરુક ભાવ ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. શુદ્ધ ઉપયેગ ફક્ત જાણવું અને જોવુ ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. પરંતુ તેનું મહત્ત્વ ત્યારે જ સિદ્ધ થાય છે જ્યારે તે લાંબા સમય સુધી નિરંતર ચાલે. જોવા અને જાણવાની ક્રિયામાં વારે વારે અવરાધ ન આવે, ચિત્ત તે ક્રિયામાં પ્રગાઢ અને નિષ્ક’પન બની જાય. અનવસ્થિત, અવ્યક્ત અને મૃદુ ચિત્ત યાનની અવસ્થાનું નિર્માણુ નથી કરી શકતું. પચાસ મિનિટ સુધી એક આલંબન પર ચિત્તને પ્રગાઢ સ્થિરતાના અભ્યાસ થવા જોઈએ. આ જ સફળતાનું અત્યંત મહત્ત્વપૂર્ણ અંગ છે, મોટું રહસ્ય છે. આ અવિધ પછી ધ્યાનની ધારા રૂપાન્તરિત થઇ જાય છે. લાંખા સમય સુધી ધ્યાન કરનાર પોતાના જ પ્રયત્નથી તે ધારાને નવા સ્વરૂપમાં પકડીને તેને વધારે પ્રલંબ બનાવી દે છે.
Jain Education International For Private 53ersonal Use Only www.jainelibrary.org