________________
૧૧. વિચારપ્રેક્ષા અને સમતા 1
આત્મા સૂક્ષમ છે, અતીન્દ્રિય છે. એટલા માટે જ તે પક્ષ છે. ચૈતન્ય તેને ગુણ છે તેનું કાર્ય જવું અને જાણવું છે. ચિત્ત અને શરીરના માધ્યમથી જાણવા અને જેવાની ક્રિયા થાય છે એટલા માટે ચૈતન્ય આપણી પ્રત્યક્ષ છે. આપણે જાણીએ છીએ અને જોઈએ છીએ ત્યારે ચૈતન્યની ક્રિયા થાય છે. સમગ્ર સાધનાને એ જ ઉદેશ્ય છે કે આપણે ચૈતન્યની સ્વાભાવિક ક્રિયા કરીએ. ફક્ત જાણીએ અને જોઈએ. આ સ્થિતિમાં અબાધ આનંદ અને અપ્રતિહત શક્તિના ધારા પ્રવાહિત રહે છે પરંતુ મેહ દ્વારા આપણું દર્શન વિરુદ્ધ અને જ્ઞાન આવૃત્ત રહે છે. એટલા માટે જ આપણે ફક્ત જાણવા અને ફક્ત જોવાની સ્થિતિમાં નથી રહેતા. આપણે ઘણું ખરું સંવેદનાની સ્થિતિમાં હોઈએ છીએ. ફક્ત જાણવું તે જ્ઞાન છે. પ્રિયતા અને અપ્રિયતા ભાવથી જાણવું તે સંવેદના છે. આપણે પદાર્થને કાં તે પ્રિયતાની દૃષ્ટિથી જોઈએ છીએ, કાં તે અપ્રિયતાની દષ્ટિથી જોઈએ છીએ. પદાર્થને માત્ર પદાર્થની દષ્ટિથી નથી જોતા. પદાર્થને ફક્ત પદાર્થની દષ્ટિથી જે તે જ સમતા છે. તે ફક્ત જાણવા અને લેવાથી સિદ્ધ થાય છે. એમ પણ કહી શકાય કે ત જાણવું અને જેવું એ જ સમતા છે. જેને સમતા પ્રાપ્ત થાય છે તે જ જ્ઞાની બને છે. જે જ્ઞાની હોય છે તેને જ સમતા પ્રાપ્ત થાય છે. જ્ઞાની અને સામ્યયેગી બંને એકાઈક છે.
Jain Education International For Private
Personal Use Only
www.jainelibrary.org