________________
તે ફક્ત જુએ છે અને જાણે છે.
“શરીરની પ્રેક્ષા કરનાર શરીરની અંદર પહોંચીને શરીર-ધાતુને જુએ છે અને ઝરતા વિવિધ આંતર-સ્રાવાને પણ જુએ છે.’૧
જોવાના પ્રયોગ ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. તેનું મહત્ત્વ ત્યારે જ અનુભવાય છે, જ્યારે મનની સ્થિરતા, દૃઢતા અને સ્પષ્ટતાથી દૃશ્યને જોવામાં આવે છે. શરીરનાં પ્રકંપનાને જોવાં, તેની ખૂબ જ અંદર પ્રવેશીને અંદરનાં પ્રકલ્પનાને જોવાં, મનને બહારથી અંદર લઈ જવાની આ પ્રક્રિયા છે. શરીરનું જેટલું પ્રમાણ છે તેટલું જ આત્માનું પણ છે, જેટલું આત્માનું પ્રમાણ છે તેટલું જ ચેતનાનું પણ છે. અર્થાત્ શરીરના કણેકણમાં ચૈતન્ય વ્યાપ્ત છે. એટલા માટે શરીરના પ્રત્યેક કણમાં સંવેદના થાય છે. તે સંવેદનથી મનુષ્ય પાતાના સ્વરૂપને જુએ છે, પોતાના અસ્તિત્વને ઓળખે છે અને પોતાના સ્વભાવના અનુભવ કરે છે. શરીરમાં થનાર સંવેદનને જોવા તે ચૈતન્યને જોવા સમાન છે. તેના માધ્યમથી જ આત્માને જોવાના છે.
શરીર-પ્રેક્ષાના મુખ્ય આધાર, મૂલાધાર છે: આખાયે શરીરમાં ચૈતન્ય વ્યાસ છે, આખાયે શરીરમાં પ્રાણધારા પ્રવાહિત છે, આખાયે શરીરમાં જ્ઞાનતંતુ (Sensory nerves) અને કર્મ-તંતુ (Motor Nerves) ફેલાયેલાં છે. શરીરપ્રેક્ષા દ્વારા આખાયે શરીરમાં વ્યાપ્ત ચૈતન્યને જાગૃત કરી શકાય છે. પ્રાણ–પ્રવાતુને સંતુલિત કરી શકાય છે. જ્ઞાનતંતુઓ ૧. આયારા ૨/૧૩૦
Jain Education International For Private &rsonal Use Only
www.jainelibrary.org