________________
D ૬. શ્વાસ-પ્રેક્ષા T
શ્વાસ અને પ્રાણુ, શ્વાસ અને મન અતૂટ બંધનથી જોડાયેલાં છે. આપણે મનને સીધું પકડી શકતા નથી. પ્રાણની ધારાને પણ સીધી પકડી શકાતી નથી. પરંતુ મનને પકડવા માટે પ્રાણને પકડવા પડે અને પ્રાણને પકડવા માટે શ્વાસને પકડવા પડે. શ્વાસના પરિવર્તન દ્વારા આપણે માનસિક વિકાસ કરી શકીએ છીએ.
મનની શાન્ત સ્થિતિ કે એકાગ્રતા માટે શ્ર્વાસનું શાન્ત થવું અત્યંત જરૂરી છે. શાન્ત શ્ર્વાસનાં એ રૂપા પ્રાપ્ત થાય છે ઃ ૧. સૂક્ષ્મ શ્વાસ-પ્રવાસ ૨. મંદ યા દ્વીધ શ્વાસ-પ્રવાસ. કાયેત્સગ માં વાસ-પ્રવાસત્તા નિરોધ કરવામાં નથી આવતા, પરંતુ તેને સૂક્ષ્મ કરી દેવામાં આવે છે. તેમાં પ્રયત્ન પૂર્ણાંક સૂક્ષ્મ શ્વાસ પ્રશ્વાસ લેવા પડે છે. આ સૂક્ષ્મ શ્વાસ ‘સ્થૂળ શ્વાસ-નિરોધ' કે કુંભક કોટિમાં આવી જાય છે.
ધ્યાનમુદ્રાનાં મૌલિક તત્ત્વામાંથી એક છે મંદ શ્વાસપ્રશ્વાસ પ્રાણવાયુને ધીરે ધીરે લેવા જોઈએ અને ધીરે ધીર છોડવા જોઈએ, તેને જ દીર્ઘ-શ્વાસ કહેવામાં આવે છે. શ્વાસવિજય કે શ્વાસ-નિયંત્રણ વગર ધ્યાન થઈ શકતું જ નથી, આ હુકીકત છે.
24
Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org