SearchBrowseAboutContactDonate
Page Preview
Page 68
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન દૃષ્ટિએ જુનું સિધ આવી રીતે સત્તરમી રાતાબ્દિ પછી સાધુએ સિધમાં વિચર્યાં હાય, તે સંબધીનું પ્રમાણ જ્યાંસુધી ન મળે, ત્યાંસુધી આપણે માની શકીએ કે છેલ્લાં લગભગ ત્રણુસા વર્ષથી સાધુઓને વિહાર સિંધમાં અંધ રહ્યો હાવે! જોઇએ. ખુલાસા એક ખુલાસા કરી નાખવા જરૂરત છે. ઉપર સિંધનાં જે જે ગામામાં જૈન સાધુઓના આવ્યાના અને જૈન ઘટનાઓ બન્યાના ઉલ્લેખ કરવામાં આવ્યેા છે, તે બધાંયે ગામે અત્યારે સિધમાં છે, એવું નથી. તેમાંના કેટલાંક ગામાનુ અત્યારે નામ પણ નથી. કેટલાંક ગામા ભાવલપુર સ્ટેટમાં છે. કેટલાક પ’જાબમાં છે. કેટલાક રાજપુતાનામાં છે અને કેટલાક ઠેઠ સરહદ ઉપર છે. આમ હેાવાનુ એકજ કારણ છે, અને તે પહેલા પ્રકરણમાં બતાવ્યું છે તેમ, સિંધની હદ અત્યારે જેટલી માનવામાં આવે છે. તેટલીજ પહેલાં ન હતી. પંજાબ, અધાનિસ્તાન, વાયવ્ય સરહદ, બેચિસ્તાન, ભાવલપુર, રાજપુતાના અને જેસલમેર, એને મ્હોટા ભાગ સિંધનીજ અન્ત ત હતા, અને તેટલા માટે તે બધાં ગામેાન ઉલ્લેખસિંધમાં કર્યો છે. ખરી રીતે અત્યારે તે! ઉપરના બધા દેશેાથી-પ્રાંતાથી સિંધ એટલા બધા છુટા પડી ગયેા છે કે જેથી જનસાધુઓનું વિચરવું વધારે કષ્ટસાધ્ય અને ભયંકર છે. જૂનાવખતમાં પણ જૈનસાધુઆના વિહાર, નઋનકાટ કે જે અત્યારનું હૈદ્રાબાદ છે, ત્યાં સુધી અથવા એક વખતનુ દસ-વીસ મચ્છીમારાનુ ગામડુ ધડમે’દર, કે જે અત્યારે કરાચી તરીકે ઓળખાઇ રહ્યું છે, ત્યાં સુધી તેા થયાનું પ્રમાણુ મળતુ નથી. બાકી સત્તરમી શતાબ્દિ સુધી સિંધના અમુક અમુક ભાગમાં સાધુએ વિચર્યાં છે, એ વાત નક્કી છે. Jain Education International ૨૧ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004700
Book TitleMari Sindh Yatra
Original Sutra AuthorN/A
AuthorVidyavijay
PublisherVijaydharmsuri Jain Granthamala Ujjain
Publication Year1943
Total Pages516
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy