SearchBrowseAboutContactDonate
Page Preview
Page 366
Loading...
Download File
Download File
Page Text
________________ ગુરુદેવની જયન્તીઓ [૩૨૧ ૧૫ અને ૧૦ રૂપિયાનાં અનુક્રમે ભાઈ વ્રજલાલ મહેતા અને ભાઈ રવિચંદ મહેતાના ફાળે ગયાં હતાં. કરાચીના પ્રસિદ્ધ કીર્તનકાર ચુનીલાલ અંબારામ વ્યાસે શ્રી વિજયધર્મસૂરિજીનું બે દિવસ સુધી ગદ્ય-પદામાં આખ્યાન સંભળાવીને કરુણ રસથી હજારે શ્રોતાઓને અશ્રુભીની આંખેવાળા બનાવી દીધા હતા. શ્રીયુત વ્યાસની કૃતિ અને કળાથી પ્રસન્ન થઈ શ્રી સંઘે તેમને પણ સારું ઇનામ આપ્યું હતું. સર્વાધિક શ્રેય આ બીજી જયંતીનો ઉત્સવ કરાચીના મૂર્તિપૂજક સંધ તરફથી કરવામાં આવ્યો હતો. તે ઉપરાત મુંબઇવાળા શેઠ કાન્તિલાલ ઈશ્વરલાલે રૂા. ૫૦૦, શેઠ કાન્તિલાલ બકેરદાસે રૂ. ૧૦૦, શેઠ રતિલાલ વાડીલાલે રૂ. ૧૦૦, તેમજ શેઠ શકરાભાઈ લલ્લુભાઈએ રૂા. ૧૦૦ ભેટ સ્વરૂપ આપ્યા હતા. શ્રી સંઘના આગેવાનો ઉપરાંત ભાઈ ખીમચંદ હેરાએ બધાંય કાર્યક્રમોને વ્યવસ્થિત ચલાવવા માટે જે તનતોડ પરિશ્રમ ઉઠાવ્યો હતો, એ ન ભૂલી શકાય તેવી એમની સેવા હતી. બને જયંતીએમાં અમદાવાદ, ઉદયપુર, કાઠિયાવાડ અને સિરોહી વગેરેથી મોટી સંખ્યામાં ગૃહસ્થ આવ્યા હતા. ન કેવળ જનની જ બકે, કરાચીની સમસ્ત જનતા માટે આ જયન્તીઓ જાહેર હતી. અને દરેક કાર્યક્રમમાં તમામ કામની ઉપસ્થિતિ બહુ આકર્ષક થઈ હતી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004700
Book TitleMari Sindh Yatra
Original Sutra AuthorN/A
AuthorVidyavijay
PublisherVijaydharmsuri Jain Granthamala Ujjain
Publication Year1943
Total Pages516
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy