SearchBrowseAboutContactDonate
Page Preview
Page 320
Loading...
Download File
Download File
Page Text
________________ અહિંસા પ્રચાર ૨૬૭ ૨ સેજર બજાર, બીજું વ્યાખ્યાન સેજર બજારમાં રહેતા કરાચીના પ્રસિદ્ધ નાગરિક શેઠ મણિલાલ મોહનલાલ અને ઉવારસદવાળા શ્રીયુત વાડીભાઈ વિગેરે ગુજરાતી ગૃહસ્થોના પ્રયત્નથી તા. ૧૬મી ડીસેમ્બરે આપવામાં આવ્યું હતું આ બંને લતાઓ આમીલ અને પારસી કેમથી ભરેલા છે. સોજર બજારના વ્યાખ્યાન વખતે વીસનગરવાળા શેઠ મહાસુખભાઇ ચુનીલાલે પણ કેટલુંક વિવેચન કરેલું. ૩-૪. ખીલનાની હાલઃ- સિંધ જીવદયા મંડળીના આશ્રય હેઠળ શહેરમાં સિંધી લોકેના લત્તામાં ખીલનાની હોલ' નામના પ્રસિદ્ધ સ્થાનમાં બે વ્યાખ્યાને તા. ૨૩-૨૪ મી ઓકટોબર ૧૯૩૭ના દિવસોમાં આપવામાં આવ્યાં હતાં. આ વ્યાખ્યાનમાં કરાચીના પ્રસિદ્ધ દાર્શનિક વિદ્વાન પં૦ ધર્મદેવ જેટલી પ્રમુખસ્થાને બિરાજ્યા હતા. સિંધી લોકેએ, ખાસ કરીને ભાઈબંધ કેમના સિંધી લોકેએ આ વ્યાખ્યાનને લાભ સારે ઉઠાવ્યો હતો. પ્રસિદ્ધ સિંધી વકીલ શ્રીયુત લેઢાએ અહિંસા ઉપર ખૂબ ચર્ચા પણ કરી હતી. ૫. ખાલકદીના હોલ, તા. ૨૪મી ઓકટોબરના દિવસે બીજું વ્યાખ્યાન ખાલકદીના હાલમાં ભાઈ જમશેદ મહેતાના પ્રમુખપણ નીચે થયું હતું. આ વ્યાખ્યાન પણ “સિંધ જીવદયા મંડળીના આશ્રય હેઠળ થયું હતું. લગભગ આખો હોલ ચિકાર ભરાયો હતો, જો કે આ સભામાં માંસાહાર કરનારાઓની સંખ્યા બહુજ ઓછી હતી. ૬. દાલમીયા ફેકટરી. તા. ૧૨ મી મે ૧૯૩૮ થી ૩૦ મી મે ૧૯૩૮ સુધી અમે મલીરમાં રહેલા. ત્યાંથી “બેકાર કોન્ફરન્સ માં જાય લેવાને માટે કરાચી આવતાં ૩૧ મી મે ૧૯૩૮ ના દિવસે ડીડ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004700
Book TitleMari Sindh Yatra
Original Sutra AuthorN/A
AuthorVidyavijay
PublisherVijaydharmsuri Jain Granthamala Ujjain
Publication Year1943
Total Pages516
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy