SearchBrowseAboutContactDonate
Page Preview
Page 185
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૬] મારી સિંધયાત્રા કરાચીનું સ્થાન સિંધનું પાટનગર ભારતના શહેરમાં પાંચમું સ્થાન રાખવા છતાં સુંદરતા અને સફાઈમાં એનું સ્થાન મેખરે આવે છે. માત્ર ત્રણ-સાડાત્રણ લાખની વસ્તીનું આ શહેર વિશાળતામાં ખૂબ ફેલાયું છે. કરાચીન પ્રત્યેક માર્ગ, કરાચીના મકાનોની હારમાળાઓ, કરાચીની ખુશનુમા હવા -એ બધું યે હિંદુસ્તાનની આખી મુસાફરી કરીને આવનારને મુગ્ધ બનાવે છે. એક વખતનું માછીમારોનાં પાંચ-પચીસ ઝુંપડાવાળું ગામડું આજે ભારતના મનમોહક શહેરોમાંનું એક બન્યું છે. એક વખતનું ગંધાતું “ઘડ બંદર ” આજનું જગમશહૂર અને સેંકડે સ્ટીમરને આવકાર આપતું આલીશાન બંદર બન્યું છે. ગામ તો ઘણાં ય વસાય છે, જંગલમાં મંગલ બને છે, છતાં કરાચીની રચના તે એવા કોઈ શુભ ચોઘડીએ અને એવા કોઈ ભદ્રપુરૂષના હાથે પાયો પડયો છે, કે તેણે કરાચીને જગમશહુર બનાવ્યું છે. કરાચીની આ નવી રચના અને કરાચીની સુંદરતા, કહેવાય છે કે ભાઈ જમશેદ મહેતાના બહુ જ વિચારશીલ ભેજાનું પરિગુમ છે. બાર-બાર વર્ષ સુધી લાગટ કરાચીની મ્યુનિસીપાલીટીના પ્રમુખ પદે રહીને ભાઈ જમશેદે કરાચી શહેર માટે જે જે પ્રયત્નો કર્યા છે, એ કરાચીના ઇતિહાસમાં સોનેરી અક્ષરોએ કાતરાયેલા રહેશે. આ કરાચીની ઉત્પત્તિના ઇતિહાસમાં પણ કંઈક વિશેષતા છે. અને તેથી આપણે જરા કરાચીન ભૂતકાળના કુવામાં ભૂસકે મારી લઈએ તો કંઈ ખોટું નથી. ઉત્પત્તિ ઇતિહાસ એની ઉત્પત્તિના સંબંધમાં આમ વદે છે – Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004700
Book TitleMari Sindh Yatra
Original Sutra AuthorN/A
AuthorVidyavijay
PublisherVijaydharmsuri Jain Granthamala Ujjain
Publication Year1943
Total Pages516
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy