SearchBrowseAboutContactDonate
Page Preview
Page 111
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૨] મારી સિંધયાત્રા વિક્રમની તેરમી શતાબ્દિમાં ઉદ્ધર નામને મંત્રી થઈ ગયો. તે જનધર્મ પાળતો હતો. તેના પુત્ર કુળધરે બાડમેરૂમાં “ઉત્તગતોરણ નામનું જિનમંદિર બનાવ્યાનો ઉલ્લેખ શ્રી ક્ષમાકલ્યાણજીની ખરતરગચ્છની પટ્ટાવલીમાં મળે છે.૨ આ ઉલ્લેખ ઉપરથી બાડમેરુ વિ. સં. ૧૧૧૧ પહેલાં વસાયું હતું, એ તે નકકી છે. - આ તરફ વસતા લોકેની દંતસ્થાઓ અને શિલાલેખ ઉપરથી જણાય છે કે છેક સત્તરમી શતાબ્દિ સુધી પણ આ નગર સમૃદ્ધ હતું. કહેવાય છે કે આ નગરમાં એસે ચાલીસ કુવા હતા. * અહિંના એક જનમંદિરનાં જે અવશેષ પડયાં છે, તેમાં એક વિ. સં. ૧૩૫રનો શિલાલેખ છે. આ મંદિરમાં કુલ પાંચ શિલાલેખો છે. વિષ્ણુવમંદિરનાં ખંડેરે પણ મૌજૂદ છે. કિરાડ. માલાણી”, પરગણામાં બીજું એતિહાસિક પ્રાચીન સ્થાન છે કિરા, ઉપર બતાવ્યું તે “જુના' (જૂના બાડમેર)થી લગભગ ૧૦ માઇલ, અને ખડીન (Khadin) સ્ટેશનથી માઈલ અત્યારના હાથમા” ગામની પડોશમાં એક કિરાડુ નામનું ગામ છે. અહિં પ્રાચીન શિલ્પકળાનો આદર્શ ખડાં કરતાં પાંચ આલીશાન મંદિરો છે. તેમાંનું મોટું મંદિર મહાદેવનું છે. તેમાં ચાર શિલાલેખે છે. આ શિલાલેખો ઉપરથી જાણી શકાય છે કે અહિંનો રાજા, મહારાજા કુમાર ૧ જૂઓ અચલગચ્છની મેટી પઢાવલી પૃ. ૨૦૪ ૨ જુઓ ખરતરગચ્છની અપ્રકાશિત પઢાવલી, પૂ. ૧૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004700
Book TitleMari Sindh Yatra
Original Sutra AuthorN/A
AuthorVidyavijay
PublisherVijaydharmsuri Jain Granthamala Ujjain
Publication Year1943
Total Pages516
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy