________________
પરિશિષ્ટ જ.
૪૦૫
કોતરવામાં આવ્યું હતું; અને સિક્કાની કિનારીના પાંચ ભાગમાં આ અર્થને સૂચવનારા શબ્દો હતા –
“મહાન સુલતાન પ્રખ્યાત બાદશાહ, પ્રભુ તેના રાજ્ય અને અમલની વૃદ્ધિ કરો
આ સિકકો આગ્રારાજધાનીમાં પાડવામાં આવ્યું હતું.
આ સિક્કાની બીજી બાજુએ “લા ઈલાહ ઈલ- અલ્લાહ મુહમ્મદુન રસૂલ-ઉલાહ” એ કલમ તથા કુરાનનું એક વાક્ય લખવામાં આવ્યું હતું. જેને અર્થ આ થતો હતે –
“પરમેશ્વર જેના ઉપર પ્રસન્ન થાય છે, તેના પ્રતિ તે અતિશય દયાળુપણે રહે છે.”
વળી આ સિકકાની આસપાસ પહેલા ચાર ખલીફાનાં નામે લખવામાં આવ્યાં હતાં. આ સિકકાની આકૃતિ સાથી પહેલાં માલાના મકસદે બનાવી હતી, તે પછી સુલ્લાં અલી અહમદે આ પ્રમાણે સુધારે કર્યો –
એક બાજુએ આ અર્થવાળા શબ્દ લખ્યા –ઇશ્વરના માર્ગમાં, પિતાના સહધમિની સહાયતા કરવામાં જે સિક્કાને વ્યય થાય છે, તે સિકે સર્વોત્તમ છે.”
બીજી બાજુએ આ પ્રમાણે લખેલું હતું–મહાન સુલતાન સુપ્રસિદ્ધ ખલીફ સર્વશક્તિમાન, તેના રાજ્ય અને અમલની વૃદ્ધિ કરો. તથા તેની ન્યાયપરાયણતા અને દયાજુતા અમર રાખો”
કહેવાય છે કે-પાછળથી આ સિક્કા ઉપરના ઉપર્યુક્ત બધાએ શબ્દ કાઢી નાખી, શેખ ફેજીની નીચેની બે રૂબાઈઓ મુલ્લાં અલી અહમદે કેતરી હતી.
એક તરફ જે રૂબાઈ કેલરી હતી, તેને અર્થ આ થાય છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org