SearchBrowseAboutContactDonate
Page Preview
Page 191
Loading...
Download File
Download File
Page Text
________________ ver સૂરીશ્વર અને સંગ્રા બાદશાહ અહિં પણ નિરન્તર રવિવારે સૂર્યનાં સહસ્રનામેા સાંભ ળતા હતા. એક વખત બાદશાહે ભાનુચ‘દ્રજીને પૂછ્યું કેમ ભાનુચંદ્રજી ! અહિ' તમને કાઇ જાતની તકલીફ્ તા નથી ને ? ’ ભાનુચંદ્રજી લગાર હસ્યા અને પછી બોલ્યા- રાજન્ ! અમે સાધુ છીએ, અમારે તા ગમે તેવી તકલીફ હાય, તાપણ સહન કરવીજ જોઈએ.' બાદશાહે કહ્યું- નહિં નહિ', એમ તે નહિ; પરન્તુ આપને કઇ જરૂર હાય, તે અવશ્ય ફરમાવેશ ’, ભાનુચંદ્રજીએ બાદશાહની પ્રસન્નતા જોઈ કહ્યુ આજકાલ ટાઢ ઘણી પડે છે અને તેથી શરીરમાં ક'ઇક ગરમાવા રહે, તેા ટાઢની અસર કમ થાય ખરી ?. આદશાહે કહ્યું- આપ એની શી ચિ'તા રાખેા છે ? જેઈએ તેવા ગરમ કુશાલા --ધુસ્સા દરબારમાં ઘણા છે, આપને ઉચિત લાગે તે અવશ્ય લઈ શકે તેમ છે.’ ભાનુચદ્રજીએ સ્પષ્ટ સમજાવતાં કહ્યું- નહિં, હું ધુસ્સા કે કુશાલાઓના ગરમાવાથી ટાઢની અસર કમ કરવા માગતા નથી. ધનાં કામે કરવામાં મને જે ગરમાવા રહે છે, તે ગરમાવા ગરમ કપડાં આઢવાથી રહેતા નથી. ’ બાદશાહે કહ્યું- ત્યારે આપ શુ' માગેા છે ? ’ ભાનુચદ્રજીએ કહ્યું- આપે એક કામ ખાસ કરીને કરવા જેવું છે, અને તે એ છે કે અમારા પવિત્ર તી સિદ્ધાચલજી ઉપર યાત્રા કરવા જનાર પાસેથી જે કર અને દાણુ લેવામાં આવે છે, તે દૂર કરી તે તીથ' અમને સમસ્ત હક સાથે સોંપવું જોઈએ. ’ . બાદશાહે આ વાત મંજૂર કરી અને તે સખ`ધી ક્માનપત્ર લખી હીરવિજયસૂરિ ઉપર મોકલવામાં આવ્યું. “ હીરસાભાગ્યકાવ્ય ’ ના કર્યાંનુ‘ કથન છે કે- આ સિદ્ધાચલ તીથ ઉપર યાત્રા કરવા જનાર પાસેથી પહેલાં દીનાર (સાનાનાણું), તે પછી પાંચ મહમુ`દિકા અને તદનન્તર ત્રણ મહેમુ'હિકા લેવાતી; છેવટે અકમરથી આ કર દૂર થયા હતા. કહેવાય છે કે-બાદશાહ જ્યારે કાશ્મીરની મુસાફરીથી પાછા વન્યા, ત્યારે તે હિમાલયના વિષમ માર્ગ માં થઇને પીપ'જાલની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004699
Book TitleSurishwara ane Samrat
Original Sutra AuthorN/A
AuthorVidyavijay
PublisherYashovijay Jain Granthmala
Publication Year1923
Total Pages472
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy