________________
પીસ્તાલીશ આગમની પૂજા–સાથે
૭૩૫
દુહા
જ્ઞાન ઉદય કરવા ભણી, તપ કરતા જિન દેવ; રાાનનિધિ પ્રગટે તદા, સમવસરણ સુર સેવ, ૧
ગીત ( રાગ-કાફી અખયનમેં ગુલઝારા–એ દેશી ) આગમ છે અવિકારા, જિનંદા! તેરા આગમ છે અવિકારા, જ્ઞાનજ્યોતિ પ્રગટે ઘટમાંહી, જિમ રવિકિરણ હજાર; જિ. મિથ્યાત્વી દુનય સવિકાર, તગતગતા નહીં તારા, જિ. ૧ ત્રીજુ એાઘનીયક્તિ વખાણ્યું, મુનિવરના આચારા; જિ. ચોથું આવશ્યક અનુસરતાં, કેવળી ચંદનબાળા, જિ. ૨
દુહાને અર્થ કેવળજ્ઞાનને ઉદય કરવા માટે શ્રી તીર્થ કર દેવ તપ કરે છે અને જ્યારે કેવળજ્ઞાનરૂપ નિધાન પ્રગટ થાય છે ત્યારે દેવે સમવસરણ રચીને પ્રભુની સેવા કરે છે. ૧
ગીતને અર્થહે નિંદ્ર! આપનું આગમ અવિકારી છે–દેષ રહિત છે. એ આગમના અભ્યાસથી હજાર કિરણવાળા સૂર્યની જેમ ઘટમાં–આત્મામાં જ્ઞાનતિ પ્રગટે છે. જ્ઞાનરૂપ સૂર્યને ઉદય થવાથી મિથ્યાત્વીઓના દુનયથી ભરેલા એકાંતનયની પ્રરૂપણ કરનારા વિકારવાળા–દેવવાળા શાસ્ત્રો તગતગતા તારાની જેમ અદશ્ય થઈ જાય છે-દેખાતા નથી. ૧
ત્રીજું એઘિનિયુક્તિ નામનું મૂળ સૂત્ર છે. જેમાં સંયમને ઉપયોગી નાના–મેટા અનેક પ્રકારના મુનિવરના આચાર બતાવ્યા છે. આ સૂટ ચરમ શ્રુતકેવળી શ્રી ભદ્રબાહુસ્વામીજીએ મુમુક્ષુ આત્માઓના કલ્યાણ માટે ચૌદપૂર્વમાંથી સંક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org