________________
ચોસઠપ્રકારી પૂજા, બીજે દિવસ
- ૫૫
ઉભી શેરીએ જળ છંટકાવે, જાઈ કેતકી કુલ બિછાવે; નિજઘર તરણ બંધાવે, મેવા મીઠાઈ થાળે ભરાવે રે. મ૦ ૨ અરિહાને દાન જ દીજે, દેતાં દેખી જે રી;
માસી રેગ હરીજે, સીઝે દાયક ભવ ત્રીજે રે. મ૦ ૩ તે જિનવર સનમુખ જાવું, મુજ મંદિરીએ પધરાવું; પારણું ભલી ભાતે કરાવું, જુગતે જિનપૂજ રચાવું રે. મo ૪ પછી પ્રભુને વળાવા જઈશું, કર જોડી સામા રહીશું; નમી વંદી પાવન થઈશું, વિરતિ અતિ રમે વરશું રે, મ૦ ૫ જરીયાન વગેરે ઉત્તમ વસ્ત્રો પથરાવે છે, પછી છરણશેઠ (ધનાવહશેઠ) ભાવના ભાવે છે કે-પ્રભુ આપણે ત્યાં વહેરવા પધારો ૧
પછી જરણોઠે ઉભી શેરીએ પાણી છટાવ્યું, ભાઈ, કેતકી વગેરે પુષે પથરાવ્યા, પિતાને ઘેર તેરણ બંધાવ્યું અને પ્રભુને પહેરાવવા માટે મેવા-મીઠાઈના થાળ ભરાવ્યા. ૨
અરિહંત ભગવાનને દાન આપીયે ત્યારે તે જોઈને જે રાજી થાય તેના પણ છ માસના રોગ નાશ પામે અને દાન આપનાર ત્રીજે ભવે મોક્ષે જાય. ૩ - છરણશેઠ વિચારે છે કે-શ્રી જિનેશ્વરની સામે જઈશ. મારે ઘરે લાવીને પ્રભુને પધરાવીશ. સુંદર રીતે પારણું કરાવીશ અને યુક્તિપૂર્વક પ્રભુજીની પૂજા કરીશ. ૪
પછી પ્રભુને વળાવવા જઈશું. હાથ જોડી પ્રભુની સામે ઉભા રહીશું, પ્રભુને નભીને વન્દન કરીને પવિત્ર થઈશું. અને અત્યંત આનંદથી ચારિત્ર લેશું. ૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org