________________
ચોસઠપ્રકારી પૂજા, બીજે દિવસ
૪૮૯ ખારેક બીજેરા ફળ ટેટી, પૂજે ફળ થાળે ભરીયા; ફાગ ગાન ગુણ તાત બયાં, દર્શનાવરણ ભવે ડરીયો,
એ પ્રભુદર્શન વિણ ભવ કરાયા, કદેવ ઉનીથ વરણવીયા; કુગુરુ કુશાસ્ત્ર પ્રશંસા કરીયા, મિથ્યાત્વધર્મ હૈયે ધરીયા,
હારી ૩ બહોત દુખે બહુકે ભરીયા, સમકિતદૂષણ આચરીયા; કુવ્રત પાળે ન ચાલે અનૈયા, પરમેષ્ટી ગુરુ ઓળવીયા, હેરી ૪ પડણિયા ગુરુ અપચ્ચખાણિયા, ભગવઇ ભાખે ગણધરીયા; દશનાવરણી કમ ઘેરૈયા, તીસ કેડીકેડી સાગરીયા હેo પ
ખારેક, બીજોરાં અને ટેટી વગેરે ફળના થાળ ભરીને પ્રભુ પાસે ધરું. ફાગના રાગમાં પ્રભુના ગુણગાન તાનથી-એકાગ્રપણે ગાઉં, જેથી દર્શનાવરણકર્મ ભયથી ડરીને ભાગી જાય. ૨
એ પ્રભુના દર્શન વિના હું સંસારમાં ભયે અને કુદેવકુતીર્થનાં વખાણ કર્યા, કુગુરુ-કુશાસ્ત્રની પ્રશંસા કરી, હૃદયમાં મિથ્યાત્વધર્મ ધારણ કર્યો. ૩
ઘણું દુઃખ અને ઘણા શોક ભરેલી સ્થિતિ પામ્યો, સમક્તિના દૂષણે આચર્યા, કુવ્રત પાળ્યાં, અનીતિએ ચાલ્યો અને પરમેષ્ટિ અને ગુરુને ઓળવ્યા. ૪
દર્શનાવરણીય કર્મવડે ઘેરાવાથી શાસનના પ્રત્યેનીક-શત્રુ અને અપ્રત્યાખ્યાની એવા ગુરુઓ કે જેને ગણધર મહારાજાએ ભગવતીસૂત્રમાં બતાવ્યા છે, તેને ગુરુ તરીકે સેવ્યા. એ કમની ઉત્કૃષ્ટી સ્થિતિ ત્રીશ કડાકડી સાગરોપમની છે. ૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org