________________
૪૭૫
ચેસઠપ્રકારી પૂજા બીજે દિવસ
ગુણ બહુમાનજિનાગમ વાણી, કાને ધરી બહુમાને; દ્રવ્ય ભાવ બહિત્ય ટાળી, પરભવ સમજે સાને. ભo ૨ પ્રભુ ગુણ ગાવે ધ્યાન મહાવે, આગમ શુદ્ધ પ્રરૂપે જી; મૂરખ સૂગ ન લહે પરભવ, ન પડે વળી ભવ. ભ૦ ૩ પરમેષ્ઠીને શિશ નમાવે, કરસે તીરથ ભાવે; વિનય વૈયાવયાદિક કરતાં, ભરતેશ્વર સુખ પાવે, ભ૦ ૪ જિમ જિમ ક્ષય ઉપશમ આવરણ, તિમ ગુણ આવિર્ભાવે; શ્રી શુભવીર વચનરસ લધે, સંભિજોત જણાવે. ભવ ૫
પરમાત્માના ગુણનું બહુમાન કરે, જિનગામની વાણી બહુમાનપૂર્વક કાને સાંભળે તે પ્રાણ દ્રવ્ય-ભાવથી બહિરાત્મભાવને ત્યાગ કરી પરભવમાં-આવતા ભવમાં સાનમાં સમજી શકે તેવી કાન વગેરે ઇન્દ્રિયની શક્તિ પ્રાપ્ત કરે. ૨
પ્રભુના ગુણ ગાય, ધ્યાન કરે, આગમને શુદ્ધપણે પ્રરૂપે તે પ્રાણું પરભવમાં મૂખે ન થાય, મુંગ ન થાય અને સંસારરૂપી કુવામાં ન પડે, ૩
જે આત્મા પરમાત્માને મસ્તક નમાવે, ભાવપૂર્વક તીર્થોની સ્પર્શના કરે, ગુણ આત્માઓના વિનય–વૈયાવચ્ચ આદિ કરે, તે આત્મા ભારતેવરની જેમ સુખ પ્રાપ્ત કરે. ૪
જેમ જેમ એ અચક્ષુદર્શનાવરણને સોપશમ થાય, તેમ તેમ આત્મગુણને આવિર્ભાવ થાય-આત્મગુણ પ્રગટ થાય. શ્રી શુભવીર પરમાત્માના વચનરૂપ રસમાં નિમગ્ન થવાથી સંભિન્નશ્રોત આદિ લબ્ધિઓ પ્રગટ થાય. ૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org