________________
પૂજાસંગ્રહ સાથે
બંધહેતુ છતે પામીયે રે, મતિ આવરણ બલેણુ; પ્રભુ ધ્રુવબંધી પ્રકૃતિ ટળે રે, જબ લહે ક્ષપકશ્રેણ, પ્રભુ૦ ૪ જિમ રહે નૃપ રીઝ રે, રીઝવ એક સાંઇ; પ્રભુ શ્રી શુભવીરને આશરે રે, નાશે કમ બેલાય, પ્રભુo ૫
કાવ્ય અને મંત્ર જિનપર્વ ગંધ સુપૂજન જનિજ રામરાભવભીતિહત; સકલગાવયોગવિપદ્ધરં, કરુ કરેણુ સદા નિજાવનમ૧ બુદ્ધિ ભેળવવાથી ૩૪૦ ભેદ થાય છે તે ભેદો પૂજ્ય શ્રી વિશેપાવશ્યક તેમ જ નંદિસૂત્રમાં કહેલા છે. ૩.
એ મતિજ્ઞાનાવરણીય પ્રકૃતિ ધ્રુવબંધી હોવાથી જ્યાં સુધી બંધને હેતુ હોય ત્યાં સુધી, તેના બળવડે કાયમ બંધાય છે. જીવ જ્યારે ક્ષપકશ્રેણીએ ચઢે છે, ત્યારે તે બંધ અટકે છે. ૪
જેમ રેહકે પિતાની બુદ્ધિથી રાજાને રીઝવ્યું હતું તેમ આપણે પણ સાંઈ=પરમાત્માને રીઝવવાના છે. શ્રી શુભ વીરને આશ્રય મળવાથી કમરૂપી પીડા નાશ પામે છે. ૫ કાવ્યને અર્થ–
શ્રી જિનપતિનું કેસર-બરાસ આદિ સુગંધી દ્રવ્યોથી પૂજન કરવું તે જન્મ-જરા અને મૃત્યુથી ઉત્પન્ન થતા ભયને હરણ કરનાર છે. સર્વરોગ, વિયોગ અને વિપત્તિને હરણું કરનાર છે. આત્માને પવિત્ર કરનાર છે. તેવું પૂજન હંમેશા પિતાના હાથ વડે કરે. ૧
Jain Education International
For Private & Personal Use Only For Private & Pers
www.jainelibrary.org