________________
૩૦૪
પૂજાસંગ્રહ સાથે
ઈસ્યા નવપદ ધ્યાનને જેહ ધ્યાવે,
સદાનંદ ચિપતા તેહ પાવે; વળી જ્ઞાનવિમલાદિ ગુણનિધામા,
નમું તે સદા સિદ્ધચક પ્રધાના. ૩
(માલિનીમ) ઇમ નવપદ ધ્યાવે, પરમ આનંદ પાવે, નવમે ભવ શિવ જાવે, દેવ નરભવ પાવે; જ્ઞાનવિમળ ગુણ ગાવે, સિદ્ધચક્ર પ્રભાવે, સવિ દુરિત સમાવે, વિશ્વ જયકાર પાવે,
( ઢાળ–ઉલાળાની દેશી ) ઈછાધન તપ નમે, બાહ્ય અત્યંતર ભેદેજી; આતમસત્તા એકતા, પર પરિણતિ ઉછેદજી, ૧
આ નવપદનું ધ્યાન જે કરે છે તે સચ્ચિદાનંદ સ્વરૂપને પામે છે, એવા નિર્મળ જ્ઞાન વિગેરે ગુણરૂપ રત્નના નિવાસસ્થાન શ્રેષ્ઠ સિદ્ધચક્રને હું નિરંતર નમસ્કાર કરું છું. ૩
વૃત્તાથ–એ પ્રકારે નવપદનું જે ધ્યાન કરે છે તે ઉત્કૃષ્ટ આનંદ પામે છે, નવમે ભવે મેક્ષ જાય છે, (વચ્ચેના અંતરમાં) દેવપણું તથા મનુષ્યપણું પામે છે; જ્ઞાનવિમળસૂરિ ગુણગાન કરતાં કહે છે કે સિદ્ધચક્રના પ્રભાવથી સર્વ પાપ સમાઈ જાય છે-નાશ પામી જાય છે અને જગતમાં જયજયકાર થાય છે.
ઉલાળાની ઢાળને અથ–ઈચ્છાઓના નિરોધરૂપ બાહ્યા અને અત્યંત૨ ભેદેવાળા તપને નમસ્કાર હો. તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org