________________
પૂજાસંગ્રહ સાથે
હાળી (આવો આવો રે સયણ, ભગવતીસૂત્રને સુણિયે–એ દેશી) સરસતી ત્રિભુવન સ્વામિની દેવી, સિરિદેવી યક્ષરાયા; મંત્રરાજ એ પંચ પ્રસ્થાને, સેવે નિત્ય સુખદાયા. ભવિ તુમે વંદે રે, સૂરીશ્વર ગછરાયા. (એ આંકણી) ૧ ત્રણ કાળના જિન વંદન હોયે, મંગરાજ સ્મરણથી; યુગપ્રધાન સમ ભાવાચારજ, પંચાચારચરણથી. ભવિ૦ ૨ પડિરૂવાદિક ચૌદ ગુણધારી, ક્ષાંતિ પ્રમુખ દશ ધર્મ, બાર ભાવના ભાવિત નિજ આતમ, એ છત્રીશ ગુણવર્મ.
ભવિ૦ ૩
ઢાળને અથ–શ્રી સરસ્વતી, ત્રિભુવન સ્વામિની દેવી, શ્રીદેવી, યક્ષરાજ અને મંત્રરાજ આ પાંચ પ્રસ્થાન સેવતા અને નિરંતર સુખને આપનારા એવા ગચ્છના રાજા સૂરીશ્વરને હે ભવ્યજને ! તમે વંદન કરે. ૧
મંગરાજ (સૂરિમંત્ર)ના મરણથી ત્રણે કાળના જિનેશ્વરેને વંદન થાય છે. ભાવાચાર્ય પંચાચારરૂપ ચારિત્રને પાળનાર હોવાથી યુગપ્રધાન સમાન કહેવાય છે. ૨
આચાર્ય ભગવંત પ્રતિરૂપાદિક ચૌદ ગુણને ધારણ કરનારા, ક્ષમા વગેરે દશ યતિધર્મને પાળનારા અને બાર ભાવનાવડે પોતાના આત્માને ભાવિત કરનારા એ રીતે છત્રીશ ગુણને ધારણ કરનાર હોય છે. ૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org