SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩ માળ ત્યારપછી એક પંક્તિએ રાખેલી વીશ પ્રતિમા માંહેથી એક પ્રતિમા લેઈને નાત્ર ભણાવે. પંચતીથી પ્રતિમા પાસે સ્થાપના કરી સર્વજને વિશસ્થાનકની પૂજા માંહેલું પ્રથમ સ્તવન સારી રીતે બેલીને પ્રતિમાજી ઉપર વીશે કળશથી હવણું કરે. ત્યારપછી એક જણ પ્રતિમાજીને અંગલુહણા કરે. એક પુરુષ પ્રતિમાજીનું પૂજન કરે. એક પુરુષ ફૂલની માળા ચઢાવે. એક પુરુષ પ્રતિમા આગળ બાર સ્વસ્તિક કરવાં. ઉપર ફળ મૂકે. એ રીતે જેમ પ્રથમ અરિહંતપદના બાર ગુણ છે તે ત્યાં બાર સ્વસ્તિક કરવા, તેવી રીતે જે જે પદના જેટલા જેટલા ગુણ હોય, તે તે પદની પૂજામાં તેટલા તેટલા સ્વસ્તિક કરવા, એવી રીતે નૈવેદ્ય વગેરે સર્વ વસ્તુ ચઢાવીને જિનપ્રતિમાને રૂપાનાણે પૂજન કરી, ફરી પ્રથમ સ્થાનકે પધરાવીને પછી પૂર્વોક્ત વિશ પ્રતિમાની પંક્તિમાંથી બીજી પ્રતિમા લઈને પંચતીથીની પ્રતિમા પાસે સ્થાપન કરે. ત્યાર પછી ફરી વીશ કળશવડે છેડે થોડે જળ ભરીને બીજું સ્ત વન કહી પ્રથમની પેઠે બીજી સવે વિધિ કરે. એમ વીશે પદને વિષે વિધિ કરવી. વિધિ પૂર્ણ થયા પછી છેવટે આરતી, મંગળદી કરે એ ઉત્કૃષ્ટવિધિ કહી અંતમાં મિચ્છામિ દુક્કડું દેવું. પછી ગુરુપૂજન, પ્રભાવના તથા સાધર્મિકવાત્સય કરવા. જે ઘણી શક્તિ ન હોય તે એક પુરુષ એક કળશ લઈ, એક એક સ્તવન કહી પંચતીથની જ પૂજા કરે. એમ વીશ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004698
Book TitleSarth Pooja Sangraha
Original Sutra AuthorN/A
AuthorNamaskar Aradhana Kendra Palitana
PublisherNamaskar Aradhana Kendra Palitana
Publication Year
Total Pages802
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, & Ritual
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy