SearchBrowseAboutContactDonate
Page Preview
Page 97
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૨ પર્યુષણ પર્વનાં વ્યાખ્યા રસભરી તેમ જ તીખી ચર્ચાએ પણ શાસ્ત્રોમાં મળે છે. આ સ્થિતિ છતાં એટલું તેા જાણવું જ જોઈએ કે બૌદ્ધ અને જૈન સંપ્રદાયની સામાન્ય જનતા ચતુરાશ્રમધર્મનું નામ આપ્યા સિવા પણ તે ધર્મને જીવનમાં તેા પાળે જ છે. એ જ રીતે બ્રાહ્મણુસંપ્રદાયમ એકાશ્રમધર્મના સ્વીકાર ન હેાવા છતાં પણ એ ધર્મને સ્વીકારના વ્યક્તિઓના દાખલા મળી જ આવે છે. ર આટલી તેા સંન્યાસના પ્રારંભની ઉંમર પરત્વે વાત થઈ. હવે એની પૂર્ણાહુતિ તરફ વળીએ. બ્રાહ્મણસંન્યાસ સ્વીકાર્યો પછી તે જીવનપર્યંત ધારણ કરવા જ પડે છે. જીવન પહેલાં તેને અંત આવત નથી. બૌદ્ધ અને જૈન સંન્યાસ નાની ઉંમરમાં પણ સ્વીકારવામાં તે આવે છે, પણ બંને વચ્ચે તફાવત છે. તે તફાવત એ છે કે, બૌદ્ધ વ્યક્તિ સંન્યાસ લેતી વખતે જીવનપર્યંતના સંન્યાસ લેવા અંધાયેલ નથી. તે અમુક માસનેા, અમુક વર્ષના સંન્યાસ લે, અને તેમાં રસ પડે તા તેની મુદ્દત વધારતા જાય અને કદાચ આજીવન સંન્યાસ પાળવાની પ્રતિજ્ઞા પણ લે. અને જો રસ ન પડે તા સ્વીકારેલી ટૂંક મુદત પૂર્ણ થતાં જ તે પા! ધેર ગૃહસ્થાશ્રમમાં આવે. એટલે કે ઐદ્ધસંન્યાસ એ માનસિક સ્થિતિ ઉપર અવલંખિત છે. સંન્યાસ લેનારને એ મારફત સંતેષ લાધે તે તેમાં આજીવન રહે અને એ જીવનના નિયમે સામે ઉભવાની શક્તિ ન હેાય તે પાછા ઘેર પણુ ક્રે; જ્યારે જૈનસન્યાસમાં એમ નથી. એમાં તા એકવાર-પછી ભલે પાંચ કે આઠ વર્ષની ઉંમરે અથવા તેા એંશી વર્ષની ઉંમરે સન્યાસ લીધે! એટલે તે મરણની છેલ્લી ક્ષણ સુધી નભાવવા જ પડે. ટૂંકમાં જૈનદીક્ષા એ આજીવન દીક્ષા છે. એમાંથી પ્રતિજ્ઞા પ્રમાણે તા જીવતાં સુધીમાં છટકી શકાય જ નહિ. બ્રાહ્મણુસંપ્રદાયમાં બાળ અને તરુણુ ઉંમરે પરમહ ંસનું વિધાન ખાસ નહાવાથી એમાં સંન્યાસ Èાડી, પાછા ઘેર ભાગવાના દાખલાએ વિલ અને છે. અને જ્યારે એવા દાખલાઓ અને પણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004696
Book TitleParyushan Parvana Vyakhyano
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi, Bechardas Doshi
PublisherSukhlalji Sanghavi
Publication Year1931
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Paryushan
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy