SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ વિશ્વમાં દીક્ષાનું સ્થાન ૮૧ ઢળતી ઉંમરે જ લેવાની પરવાનગી છે. પહેલાં પચીસ વર્ષ બ્રહ્મચર્યાંશ્રમમાં જાય. પછીનાં તેટલાં વર્ષ ગૃહસ્થાશ્રમમાં જાય. લગભગ પચાસ વર્ષે વાનપ્રસ્થ થવાના વખત આવે અને છેક છેલ્લી જીંદગીમાં જ તદ્ન (પૂર્ણ) સંન્યાસ અથવા તે પરમહંસ પદ લેવાનું વિધાન છે. ચતુરાશ્રમધર્માં બ્રાહ્મણુસંપ્રદાયમાં, બાલ્યાવસ્થામાં કે જુવાનીમાં સન્યાસ નચો લેવાતા, કાઈ એ નથી લીધેા, અથવા તેવું વિધાન નથી એવું કાઈ ન સમજે; પણ એ સ્થિતિ એ સંપ્રદાયમાં માત્ર અપવાદરૂપ હાઈ સર્વસામાન્ય નથી. સામાન્ય વિધાન તા . ઉંમરના છેલ્લા ભાગમાં જ પૂર્ણ સંન્યાસનું છે. જ્યારે અનાશ્રમધર્મી અથવા તેા એકાશ્રમધર્મી બૌદ્ધ અને જૈન સંપ્રદાયમાં તેથી ઉલટું છે. એમાં પૂર્ણ સંન્યાસ કહેા, અથવા બ્રહ્મચર્ય કહા, એ એક જ આશ્રમના આદર્શ છે. અને ગૃહસ્થાશ્રમ કે ત્યારપછીની વચલી સ્થિતિ એ અપવાદરૂપ છે; તેથી બૌદ્ધ અને જૈનસંપ્રદાયમાં મુખ્ય ભાર સંન્યાસ ઉપર આપવામાં આવે છે. અને ભ્રાહ્મણસંપ્રદાયમાં એ ભાર પહેલાં તે ગૃહસ્થાશ્રમ ઉપર આપવામાં આવે છે. ભ્રહ્મચર્યાશ્રમ વિષે ચતુરાશ્રમધર્મી અને એકાશ્રમધર્મી સંપ્રદાયા વચ્ચે કશે। ભેદ જ નથી, કારણ કે એ બન્ને કાંટાઓ બ્રહ્મચર્ય ઉપર એક સરખા ભાર આપે છે. પણ બન્નેને મતભેદ ગૃહસ્થાશ્રમમાંથી શરૂ થાય છે. એક કહે છે કે બ્રહ્મચŠશ્રમમાં ગમે તેટલી તૈયારી કરવામાં આવે છતાં ગૃહસ્થાશ્રમના આધાત પ્રત્યાધાતામાંથી અને વિવિધ વાસનાઓના ભરતીઓટમાંથી પસાર ચઈ, ત્યાગની તીવ્ર અભિલાષા આવ્યા બાદ જ સંન્યાસાશ્રમમાં જવું એ સલામતી ભરેલું છે. ખીજો કહે છે કે ગૃહસ્થાશ્રમના જાળામાં સ્યા એટલે નીચાવાઈ જવાના, તેથી બધી શક્તિ તાજી અને જાગતી હાય ત્યારે જ સંન્યાસ ફળદ્રૂપ નીવડે, માટે બ્રહ્મચર્યાશ્રમમાંથી જ સીધા સંન્યાસાશ્રમ સ્વીકારવામાં અથવા તે બ્રહ્મચર્ય અને સંન્યાસ બન્ને આશ્રમનું એકીકરણ કરવામાં જ જીવનને મુખ્ય માદર્શ આવી જાય છે. આ મતભેદ જમાના જૂના છે અને એની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004696
Book TitleParyushan Parvana Vyakhyano
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi, Bechardas Doshi
PublisherSukhlalji Sanghavi
Publication Year1931
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Paryushan
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy