________________
વિશ્વમાં દીક્ષાનું સ્થાન
અને તેને ઉપયોગ
દીક્ષા એટલે માત્ર ધર્મદીક્ષા એટલે જ અર્થ નથી. તેના અનેક પ્રકારે છે. શાસ્ત્રદીક્ષા એટલે શાસ્ત્ર ભણવા માટે દીક્ષા લેવી, શસ્ત્રદીક્ષા એટલે જૂના વખતમાં ધનુર્વેદની અને વળી બીજે બીજે સમયે બીજાં શાસ્ત્રોની તાલીમ મેળવવા દીક્ષા લેવી તે. ચાદીક્ષા પણ છે અને તેને યજ્ઞ કરનાર યજમાન અને તેની પત્ની સ્વીકારે છે. રાજ્ય દીક્ષા પણ છે. ગાદીએ આવનાર ગાદીએ આવ્યાથી માંડી, જ્યાં સુધી રાજ્યસૂત્રો હાથમાં રાખે ત્યાં સુધી તે એ દીક્ષામાં બંધાયેલ છે. વિશેષ શું, વિવાહની પણ દીક્ષા છે. વિવાહના ઉમેદવાર વધૂવરને પણ એ દીક્ષા લેવી પડે છે. આ બધી દક્ષાઓ કાંઈ કલ્પિત કે આધુનિક નથી. એનો બહુ જ જૂને ઈતિહાસ છે અને ભગવાન વિહાવીર પહેલાં હજારો વર્ષોથી એ બધી દીક્ષાએ ચાલતી આવી છે, મને હજી પણ એક અથવા બીજા રૂપે ચાલે જ છે. ધર્મદીક્ષા એ બધી દીક્ષાઓથી જુદી છે.
દીક્ષા એટલે ભેખ લેવો, સંન્યાસ કે ફકીરી ધારણ કરવી. મેખ એટલે અમુક ખાસ ઉદ્દેશ માટે કુટુંબ અને સમાજના, અને પણીવાર તો દેશ સુદ્ધાંનાં બંધને પણ ઢીલાં કરવાં પડે છે, અને કોઈ BHઈ વાર છોડવાં પણ પડે છે. સ્વીકારેલ ઉદ્દેશને સાધવામાં જે પિને આડે આવતા હોય તે બંધનોને છોડવાં એ જ ભેખનો અર્થ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org